Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં તારીખ 1/4/24 ને સોમવારનાં રોજ શાળાના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વિદ્યારંભ કાર્યક્રમ યોજી સરસ્‍વતી પૂજા દ્વારા કરાઈ. નવા શૈક્ષણિક વર્ષ 2024-2025 મા પ્રવેશ લઈ રહ્યા વિદ્યાર્થીઓનુ હર્ષોલ્લાસ સહ સ્‍વાગત પણ કરાયુ. સ્‍કૂલ પરિસરમાં નાના ભૂલકાઓ શાળામાં આવવા રસ અને રૂચી અનુભવે તે માટે આ કાર્યક્રમનુ આયોજન પણ કરાયુ હતુ. અધ્‍યયનની શરૂઆત વિદ્યાના દેવી માતા સરસ્‍વતીની પૂજા અર્ચના વડે થાય તે માટે મહારાજ અલ્‍પેશ ભટ્ટને બોલાવી શાળા પાટાંગણમાં સરસ્‍વતી પૂજા કરાઈ. જેમાસ્‍કૂલ ફાઉંડર ર્ટ્‍સ્‍ટી લાયન મૂકેશ પટેલ, સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલ, આચાર્યા, શિક્ષકગણ અને વિદ્યાથીઓએ ભાગ લીધો હતો. બાળકોએ માતા સરસ્‍વતી પાસે વિદ્યાના દાન અને સદ્વુધ્‍ધી મળે એવી પ્રાર્થના કરી. આ સાથે શ્‍લોકો અને પ્રાર્થનાનુ ગાન કરાયુ જેથી વાતાવરણ ભક્‍તિમય બની જવા પામ્‍યુ હતુ. સાથેસાથે વિદ્યાર્થીઓને જ્ઞાન યુક્‍ત સુવિચાર કહેવામા આવ્‍યા, દેશ-દુનિયામાં શું ચાલે અને પોતે શું કરવું તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યંું. આ ખાસ અવસરે બાળકોને વિશેષ આશીર્વાદ અને શુભેચ્‍છા અપાઈ તેમજ સ્‍કૂલ ફાઉંડર ર્ટ્‍સ્‍ટી લાયન મૂકેશ પટેલે બાળકોને કામયાબી હાંસલ કરવા પાછળ શ્રમ અને અનુશાસનનુ શું મહત્‍વ છે તે સમજાવ્‍યુ. રજાઓ પછી સુની પડેલી શાળાએ આજે સજીવન રૂપ લીધુ હોય એવુ લાગી રહ્યુ હતુ જે ખુબ જ ખુશનુમા અને રંગીન લાગી રહ્યુ હતુ.

Related posts

બજરંગ દાસ બાપાના કળપા સેવક મનજી દાદાની ડાંગમાં પ્રાર્થના સભા યોજાઈ

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

જીએનએલયુ-સેલવાસ કેમ્‍પસના આરંભ પાછળ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને અથાક પરિશ્રમઃ જીએનએલયુ ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) શાંથાકુમાર

vartmanpravah

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

Leave a Comment