રોડના નિર્માણ કામ માટે થઈ રહેલ કામગીરીમાં આવી રહેલા અવરોધના કારણે બંધ કરાયેલો રસ્તો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ જંક્શન સુધીના રસ્તા ઉપર થઈ રહેલા કામના કારણે વાહન વ્યવહાર તથા અવર-જવર માટે પણ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી સૌરભ મિશ્રાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગતજાહેર કર્યો છે અને આ કલમનો ભંગ કરવા સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત સજાને પાત્ર ઠરશે એવો પણ આદેશ કરાયો છે.
નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ સુધીના રસ્તાને વાહન વ્યવહાર તથા અવર-જવર માટે પણ બંધ કરાતા હવે રાહદારીઓ અને વાહન વ્યવહારે વૈકલ્પિક અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.