October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે કરેલું આયોજનઃ કુશળ યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોનું થનારૂં નિદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા 21મી જૂન, 2023ના રોજ સવારે 7:00 વાગ્‍યે ‘નમો પથ’ દેવકા બીચની પાસે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. નમો પથ ઉપર 4000 કરતા વધુ લોકો યોગ કાર્યક્રમમાં જોડાશે એવો લક્ષ્યાંક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા 21મી જૂને યોગ દિવસના ઉપલક્ષમાં દેવકા બીચ પાસે ‘નમો પથ’ ખાતે યોજાનારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
યોગ કાર્યક્રમમાં કુશળ યોગ પ્રશિક્ષકો યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોની બાબતમાં સમજણ આપશે. દમણમાં 15થી 20 જૂન સુધી યોગને લઈ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત વેલનેસ સેન્‍ટર, નર્સિંગ કોલેજ, સ્‍કૂલો સહિત વિવિધ સ્‍થળો ઉપર 5000થી વધુ લોકોનેયોગનું પ્રશિક્ષણ આપી યોગના વિષયમાં જાગૃત કરવામાં આવી રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી આ વખતે ‘હર ઘર, હર આંગણ’ની થીમ રાખવામાં આવી છે.
આ સમારંભમાં સંઘપ્રદેશના વિવિધ કાર્યાલયના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્‍ય વિભાગ, ઔદ્યોગિક કર્મીઓ, હોટલના મહેમાનો, હાઉસિંગ સોસાયટી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, જન પ્રતિનિધિઓ અને આમ જનતાની જનભાગીદારીથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.

Related posts

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 48 મોતિયા બિંદના નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયતની આંગણવાડી ખાતે બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment