Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે કરેલું આયોજનઃ કુશળ યોગ પ્રશિક્ષકો દ્વારા યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોનું થનારૂં નિદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા 21મી જૂન, 2023ના રોજ સવારે 7:00 વાગ્‍યે ‘નમો પથ’ દેવકા બીચની પાસે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવશે. નમો પથ ઉપર 4000 કરતા વધુ લોકો યોગ કાર્યક્રમમાં જોડાશે એવો લક્ષ્યાંક છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા 21મી જૂને યોગ દિવસના ઉપલક્ષમાં દેવકા બીચ પાસે ‘નમો પથ’ ખાતે યોજાનારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
યોગ કાર્યક્રમમાં કુશળ યોગ પ્રશિક્ષકો યોગની વિવિધ મુદ્રાઓ અને આસનોની બાબતમાં સમજણ આપશે. દમણમાં 15થી 20 જૂન સુધી યોગને લઈ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત વેલનેસ સેન્‍ટર, નર્સિંગ કોલેજ, સ્‍કૂલો સહિત વિવિધ સ્‍થળો ઉપર 5000થી વધુ લોકોનેયોગનું પ્રશિક્ષણ આપી યોગના વિષયમાં જાગૃત કરવામાં આવી રહ્યા છે. આયુષ મંત્રાલય તરફથી આ વખતે ‘હર ઘર, હર આંગણ’ની થીમ રાખવામાં આવી છે.
આ સમારંભમાં સંઘપ્રદેશના વિવિધ કાર્યાલયના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્‍ય વિભાગ, ઔદ્યોગિક કર્મીઓ, હોટલના મહેમાનો, હાઉસિંગ સોસાયટી, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, જન પ્રતિનિધિઓ અને આમ જનતાની જનભાગીદારીથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે.

Related posts

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

Leave a Comment