વરસાદ બાદ દિવાળી ઉપર ડિમોલીશન કરવા આદિવાસી પરિવારે કરેલી આજીજીની કોઈ અસર નહીં થતાં સમગ્ર પંથકમાં આક્રોશ
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાનહના ખરડપાડા ખાતે આજે પ્રશાસને પોલીસની ટીમ સાથે આદિવાસી પરિવારનું ઘર ડિમોલીશન કરતા લોકોમાં આક્રોશ પણ ફેલાયો છે. આદિવાસી પરિવારે ઘરના ડિમોલીશનને ચોમાસાના કારણે દિવાળી સુધી ટાળવા પ્રશાસન સમક્ષ આજીજી પણ કરી હતી. જે દરમિયાન આદિવાસી પરિવારની પોલીસ તંત્ર સાથે ચકમક પણ ઝરી હતી.
દરમિયાન જેસીબી દ્વારા આદિવાસી પરિવારના ઘરનું ડિમોલીશન કરાયું હતું. ગત તા.7મી જુલાઈએ ભંડારી પરિવારના ઘરનું પણ ડિમોલીશન કરવામાં આવ્યું હતું.