Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્‍ય નજરાણા એવા વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક આગામી 26મી જૂનથી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં વન્‍ય પ્રાણીઓના સંવનનનો સમય હોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ચોમાસા દરમિયાન પ્રવાસે આવનાર મુલાકાતીઓ માટે આગામી 26મી જૂનથી ઓક્‍ટોબર, 2023 સુધી બંધ રહેશે, એમ વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ડેપ્‍યુટી કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ વાઈલ્‍ડ લાઈફ ડિવિઝન દ્વારા એક અખબારીયાદી દ્વારા દરેક પર્યટકો અને તમામ જનતાને સૂચિત કરવામાં આવે છે. આ બન્ને પર્યટન સ્‍થળ વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ આગળના આદેશ બાદ ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

Related posts

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah

Leave a Comment