October 2, 2023
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્‍ય નજરાણા એવા વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક આગામી 26મી જૂનથી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં વન્‍ય પ્રાણીઓના સંવનનનો સમય હોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ચોમાસા દરમિયાન પ્રવાસે આવનાર મુલાકાતીઓ માટે આગામી 26મી જૂનથી ઓક્‍ટોબર, 2023 સુધી બંધ રહેશે, એમ વાસોણા લાયન સફારી અને સાતમાલિયા ડિયર પાર્ક ડેપ્‍યુટી કન્‍ઝર્વેશન ઓફ ફોરેસ્‍ટ વાઈલ્‍ડ લાઈફ ડિવિઝન દ્વારા એક અખબારીયાદી દ્વારા દરેક પર્યટકો અને તમામ જનતાને સૂચિત કરવામાં આવે છે. આ બન્ને પર્યટન સ્‍થળ વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ આગળના આદેશ બાદ ફરી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

Related posts

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

તા.8 થી 11 ડિસેમ્‍બર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 9મી વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્‍સ ગોવાના પણજી ખાતે યોજાઈ

vartmanpravah

Leave a Comment