દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કર્યું
દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ લાગતા વળગતા પ્રશાસનિક વિભાગના ઈજનેર અને અધિકારીઓની ટીમ સાથે ચર્ચા કરી હતી અને મંતવ્યો જાણ્યા હતા. બાદમાં ઈજનેરને આ ખખડધજ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની સુચના આપી હતી.