દર મહિને રૂ.૧૦૦ના અનુદાનથી પર્યાવરણ અને ગૌવંશને બચાવવા સાથે પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન આપવાનો તૈયાર કરેલો માસ્ટર પ્લાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૨૬ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌવંશને બચાવવાની પહેલ દમણના નવયુવાન શ્રી તનોજ પટેલના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પ્રારંભમાં લગભગ ૩૦ જેટલા સભ્યોઍ સમર્થન પણ જારી કયુ* છે.
પ્રા માહિતી પ્રમાણે દમણ કચીગામના નવયુવાન શ્રી તનોજ પટેલે નેતૃત્વ લઈ પ્રદેશના પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા માટે ઍક ટીમ બનાવવાની પહેલ કરી છે. જે અંતર્ગત ફક્ત રૂ.૧૦૦ના માસિક અનુદાનથી પારદર્શક રીતે વહીવટ કરી રસ્તે રઝળતી ગૌમાતાની રક્ષા અને સારવાર કરવાનું આયોજન હાથ ધર્યુ છે. જે અંતર્ગત તેમણે ગૌમાતા અને ગૌવંશના ગોબરથી પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન આપવાનો માસ્ટર પ્લાન પણ રજૂ કર્યો છે.
શ્રી તનોજભાઈ પટેલની પહેલ ઉપર સમર્થન આપનારાઅોમાં કચીગામથી (૧) શ્રી નિલેશભાઈ છગનભાઈ પટેલ (૨) શ્રી સતિષભાઈ બાબુભાઈ પટેલ (૩) શ્રી કલ્પેશભાઈ રામુભાઈ પટેલ (૪) શ્રી રિતેશભાઈ દિલીપભાઈ પટેલ (૫) શ્રી જીજ્ઞેશભાઈ ઉક્કડભાઈ પટેલ (૬) શ્રી ભરતભાઈ છનુભાઈ પટેલ અને (૭) શ્રી દિનેશભાઈ ફકીરભાઈ પટેલનો સમાવેશ થાય છે.
દાભેલથી (૧) શ્રી જીજ્ઞેશભાઈ ડાહ્નાભાઈ પટેલ (૨) શ્રી હરિશભાઈ ધેડકાભાઈ પટેલ (૩) શ્રી પિયુષભાઈ હિરૂભાઈ પટેલ (૪) શ્રી મનોજભાઈ હિરૂભાઈ પટેલ (૫) શ્રી સંદિપભાઈ ગુલાબભાઈ પટેલ (૬) શ્રી રાહુલભાઈ ધીરૂભાઈ પટેલ (૭) શ્રી રજનીભાઈ રામુભાઈ પટેલ (૮) શ્રી જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ અને (૯) શ્રી વિપુલભાઈ ઠાકુરભાઈ પટેલનો સમાવેશ થાય છે.
મશાલચોકથી શ્રી (૧) શ્રી રાકેશભાઈ ઉત્તમભાઈ પટેલ અને (૨) શ્રી નિતિનભાઈ ઉત્તમભાઈ પટેલ તથા ભેંસરોડથી (૧) શ્રી બાબુભાઈ છીબાભાઈ પટેલ (૨) શ્રી કેતનભાઈ બાબુભાઈ પટેલ અને (૩) શ્રી સંજયભાઈ ગણપતભાઈ પટેલનો સમાવેશ થાય છે.
દુણેઠાથી શ્રી સંજયભાઈ નાનુભાઈ પટેલ અને મરવડથી શ્રી પ્રવિણભાઈ બાબુભાઈ પટેલ અને શ્રી સતિષભાઈ ગુલાબભાઈ પટેલનો સમાવેશ થાય છે. દલવાડાથી શ્રી અશોકભાઈ રામુભાઈ પટેલને સમાવવમાં આવ્યા છે. જ્યારે બહેનોમાં દાભેલથી શ્રીમતી વર્ષિકાબેન પિયુષભાઈ પટેલ અને કચીગામથી શ્રીમતી પ્રિયંકાબેન સતિષભાઈ પટેલનો સમાવેશ કરાયો છે.