April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) પેટા વિભાગ વાંસદા હસ્‍તકના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી રોડ કિ.મી. 5/8 થી 0/6 ની ચેઈનેજમાં પુલ આવેલો છે. જે પુલ નબળો હોવાથી આ રસ્‍તા પરથી પસાર થતાં ભારે વાહનોને ડાયવરર્ઝન આપવો જરૂરી હોવાથી નવસારી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર અન્‍ય હુકમ ન થાય ત્‍યાં સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
આ સમય દરમિયાન વાહનોની અવરજવર માટે વૈકલ્‍પિક માર્ગ તરીકે કુરેલીયાથી ધરમપુરી જવા માટે કુરેલીયા-બારતાડ અને કુરેલીયા-ચીકારપાડા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ભીનારથી ધરમપુરી જવા માટે ભીનાર બારતાડ રોડ અને બારતાડ-કેળકચ્‍છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ઉનાઈથી ધરમપુરી જવા માટે ઉનાઈ-બારતાડ રોડઅને બારતાડ કેળકચ્‍છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ધરમપુરીથી વાંસદા જવા માટે ધરમપુરી-સરા રોડ અને મોટી ભમતી-સરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્‍યક્‍તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

વલસાડમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં મોબાઈલ સ્‍નેચીંગ કરેલ ત્રણ યુવાનો ઝડપાયા : પોલીસે રૂા.1.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

Leave a Comment