Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : જાહેરનામું બહાર પડાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) પેટા વિભાગ વાંસદા હસ્‍તકના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી રોડ કિ.મી. 5/8 થી 0/6 ની ચેઈનેજમાં પુલ આવેલો છે. જે પુલ નબળો હોવાથી આ રસ્‍તા પરથી પસાર થતાં ભારે વાહનોને ડાયવરર્ઝન આપવો જરૂરી હોવાથી નવસારી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ વાંસદા તાલુકાના ભીનાર-કુકડા-કુરેલીયા-ધરમપુરી માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર અન્‍ય હુકમ ન થાય ત્‍યાં સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
આ સમય દરમિયાન વાહનોની અવરજવર માટે વૈકલ્‍પિક માર્ગ તરીકે કુરેલીયાથી ધરમપુરી જવા માટે કુરેલીયા-બારતાડ અને કુરેલીયા-ચીકારપાડા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ભીનારથી ધરમપુરી જવા માટે ભીનાર બારતાડ રોડ અને બારતાડ-કેળકચ્‍છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ઉનાઈથી ધરમપુરી જવા માટે ઉનાઈ-બારતાડ રોડઅને બારતાડ કેળકચ્‍છ ધરમપુરી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ધરમપુરીથી વાંસદા જવા માટે ધરમપુરી-સરા રોડ અને મોટી ભમતી-સરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર વ્‍યક્‍તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ડેંગ્‍યુના રોગચાળાને કાબુમાં લેવા આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા અસરકારક પગલાં

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતર્ગત કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી બેઠક

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment