Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

ગુજરાતી મીડિયમની સ્‍કૂલ હોવાથી બાળકો ઘટી રહ્યા હોવાનો મેનેજમેન્‍ટનો સૂર : વાલીઓ વધુ ફી આપવા તૈયાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી ચલા રોડ ઉપર આવેલ જ્ઞાનદીપ સ્‍કૂલ નવા શૈક્ષણિક સત્રથી બંધ કરવા મેનેજમેન્‍ટ લીધેલા નિર્ણય સામે શનિવારે સ્‍કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થઈને સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયને વખોડી કાઢી જોરદાર વિરોધ કર્યો હતો.
વાપી લેડીઝ ફ્રેન્‍ડ કલબ દ્વારા સંચાલિત જ્ઞાનદીપ ગુજરાતી મીડિયમની સ્‍કૂલ નવા શૈક્ષણિક સત્રથી બંધ કરી દેવાનો નિર્ણય મેનેજમેન્‍ટે લઇ લીધો છે તેથી બાળકો અને વાલીઓ શનિવારે સ્‍કૂલમાં ધસી જઈને મેનેજમેન્‍ટ સામે વિરોધ કરી દબાણ કર્યુ હતું કે સ્‍કૂલ બંધ કરશો તો અમારા વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય અંધકારમય બની જશે.
હાલ શાળામાં ર08 બાળકો ભણે છે. વાલીઓએ વધુમાં જણાવ્‍યું હતું કે સ્‍કૂલ ફીમાં વધારો કરે અમે આપવા તૈયાર છીએ પરંતુ સ્‍કૂલ બંધ ના કરો. બીજી તરફ મેનેજમેન્‍ટનું કહેવું છે કે ગુજરાતી મીડિયમ હોવાથી બાળકો ઓછા થઈ રહ્યા છે. તેથી નિર્ણય લેવો પડયો છે. આંતરિક સુત્રો મુજબ આ સ્‍કૂલને ઈંગ્‍લિશ મીડિયમમાં કન્‍વર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ ચલા રોડ ટચની કિંમતી જમીન ઉપર કોમર્શિયલ વેપલો કરવાનો તખ્‍તોહોવાનું કહેવાય છે. પરંતુ હાલ તો સ્‍કૂલના બાળકોનું ભવિષ્‍ય અંધકારમય બનવા તરફ જઈ રહ્યું છે.

Related posts

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ચંદ્રયાન-3ના લાઈવ સ્‍ટ્રીમિંગ નિહાળવાની કરાયેલી વિશેષ વ્‍યવસ્‍થા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર કેસમાં પોલીસને મળેલી ઐતિહાસિક સફળતા બાદ જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલાએ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા

vartmanpravah

Leave a Comment