January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ ભારે વરસાદને કારણે ખાનવેલથી દૂધની તરફ જઈ રહેલ મુખ્‍ય માર્ગ પર સેલ્‍ટી ગામે નવનિર્મિત પુલના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો તેમજ રોજિંદા વાહન વ્‍યવહાર કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ રસ્‍તો દાનહ સાથે કપરાડા તાલુકાને પણ જોડે છે. પ્રદેશની ઈન્‍ડસ્‍ટ્રીઓમાં કામકરવા આવનાર લોકોએ ભારે વરસાદના કારણે માટી પુરાણ ધોવાઈ જવાના કારણે અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બન્‍યા હતા અને તેઓએ પરત ફરવું પડયું હતું. જ્‍યારે પુલની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા અને રસ્‍તાના મરામ્‍મતની કામગીરી આરંભી દીધી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

Leave a Comment