April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ ભારે વરસાદને કારણે ખાનવેલથી દૂધની તરફ જઈ રહેલ મુખ્‍ય માર્ગ પર સેલ્‍ટી ગામે નવનિર્મિત પુલના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો તેમજ રોજિંદા વાહન વ્‍યવહાર કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ રસ્‍તો દાનહ સાથે કપરાડા તાલુકાને પણ જોડે છે. પ્રદેશની ઈન્‍ડસ્‍ટ્રીઓમાં કામકરવા આવનાર લોકોએ ભારે વરસાદના કારણે માટી પુરાણ ધોવાઈ જવાના કારણે અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બન્‍યા હતા અને તેઓએ પરત ફરવું પડયું હતું. જ્‍યારે પુલની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા અને રસ્‍તાના મરામ્‍મતની કામગીરી આરંભી દીધી હતી.

Related posts

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા ફૂડ કાર્નિવલ યોજાયો

vartmanpravah

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

Leave a Comment