March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલ ભારે વરસાદને કારણે ખાનવેલથી દૂધની તરફ જઈ રહેલ મુખ્‍ય માર્ગ પર સેલ્‍ટી ગામે નવનિર્મિત પુલના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો તેમજ રોજિંદા વાહન વ્‍યવહાર કરતા વાહન ચાલકો અટવાયા હતા. આ રસ્‍તો દાનહ સાથે કપરાડા તાલુકાને પણ જોડે છે. પ્રદેશની ઈન્‍ડસ્‍ટ્રીઓમાં કામકરવા આવનાર લોકોએ ભારે વરસાદના કારણે માટી પુરાણ ધોવાઈ જવાના કારણે અનેક ગામના લોકો સંપર્ક વિહોણા બન્‍યા હતા અને તેઓએ પરત ફરવું પડયું હતું. જ્‍યારે પુલની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતા અને રસ્‍તાના મરામ્‍મતની કામગીરી આરંભી દીધી હતી.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી પોસ્‍ટ ઓફિસમાં ત્રણ – ચાર દિવસથી કનેક્‍ટિવિટીની સમસ્‍યા છતાં તંત્ર નિંદ્રામાં

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

vartmanpravah

વાપી ડુંગરામાં ભાજપ દ્વારા નરેન્‍દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત શ્રવણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment