June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલની અધ્‍યક્ષતામાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મળેલી બેઠકમાં 50-50ના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તારના રસ્‍તાઓનું નવીનિકરણ કરવા હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણના ઔદ્યોગિક વિસ્‍તારોમાં રસ્‍તાઓના નવીનીકરણનો માર્ગ ખુલ્લો થયો છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 50-50ના સિદ્ધાંત હેઠળ અને દાદરા નગર હવેલીની તમામ ઔદ્યોગિક વસાહતોના રસ્‍તાઓનું નવીનીકરણ હાથ ધરાયું છે. જેના ઉપલક્ષમાં 30 ડિસેમ્‍બર, 2022ના રોજ દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન(ડીઆઈએ)ના હોલ ખાતે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની મહત્‍વની બેઠક મળી હતી. ડીઆઈએના પ્રમુખ શ્રી પવનઅગ્રવાલની અધ્‍યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દમણના તમામ ઉદ્યોગોને વહીવટીતંત્રની દરખાસ્‍ત સાથે મોટી સંખ્‍યામાં જોડાવા અને તેમના ઔદ્યોગિક વિસ્‍તારોમાં રસ્‍તાઓના નવીનિકરણમાં સહભાગી થવા હાકલ કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્‍થિત કેન્‍દ્રશાસિત પ્રદેશના ઉદ્યોગ સચિવ શ્રી એસ. કળષ્‍ણ ચૈતન્‍યએ વહીવટીતંત્ર અને ઉદ્યોગો વચ્‍ચે 50-50ની ભાગીદારીના સિદ્ધાંત સાથે ઔદ્યોગિક વિસ્‍તરણમાં રસ્‍તાઓના નિર્માણ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે ઔદ્યોગિક એકમો તેમના વિસ્‍તરણના રસ્‍તાઓ માટે દરખાસ્‍ત તૈયાર કરીને વહીવટીતંત્રને સોંપશે, ત્‍યારબાદ વહીવટીતંત્ર અને ઔદ્યોગિક એકમોની ભાગીદારીથી તે વિસ્‍તરણના રસ્‍તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. બીજી તરફ કેન્‍દ્રશાસિત પ્રદેશના પાવર સેક્રેટરી શ્રી મેકલા ચૈતન્‍ય પ્રસાદ અને ટોરેન્‍ટ પાવરના પ્રતિનિધિ શ્રી પરિતોષ તુમડી, જેઓ બેઠકમાં હાજર હતા, તેમણે વીજ સંબંધિત ઉદ્યોગકારોની સમસ્‍યાઓ સાંભળી હતી અને તેમને યોગ્‍ય નિરાકરણની ખાતરી આપી. તેમજ ટોરેન્‍ટ પાવરના પ્રતિનિધિએ જણાવ્‍યું હતું કે વીજળીને લગતી કોઈ બાબત હોય કે કોઈ સૂચન હોય તો તમે અમને ઈ-મેલ દ્વારા જાણ કરી શકો છો.
આ બેઠક પહેલાં ડીઆઈએના સભ્‍યોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈમોદીના માતા હીરા બાના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો હતો અને તેમને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. બેઠકમાં ડીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની, ડીઆઈએના ઉપ પ્રમુખ શ્રી શરદ પુરોહિત, ખજાનચી શ્રી આર.કે.ના. શુક્‍લ, શ્રી પી.કે. સિંઘ, શ્રી છોટુ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ થ્રીડીને ટીબીમુક્‍ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત મળેલો સિલ્‍વર મેડલ : ફરી એકવાર પ્રદેશની આરોગ્‍ય સેવાનો રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઝળહળતા સિતારા તરીકે ઉભરેલા અનંત પટેલ

vartmanpravah

Leave a Comment