Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: હિન્‍દુ ધર્મના સૌથી મોટા દેવ ગણેશજીની આરાધના કરવાનો પર્વ ચાલી રહ્યો છે. ભાવ અને ભક્‍તિ સાથે સ્‍થાપના કર્યા બાદ બીજા વર્ષની ફરી સ્‍થાપનાની કામના સાથે ઢોલ નગારા અને નાચ ગાનના ઉમંગથી ગણપતિ દેવની પ્રતિમાને વિસર્જન કરવામાં આવે છે. ગતરોજ દોઢ દિવસની સ્‍થાપના કરવામાં આવેલી મૂર્તિઓનું ઉમરગામ દરિયાકાંઠે વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજરોજ સવારના સમયે 100 થી વધુ પ્રતિમાઓ ખંડિત હાલતમાં દરિયા કિનારે દ્રશ્‍યમાન થતી હતી. આ દ્રશ્‍યથી ભાવિક ભક્‍તોની ભાવનાને ઠેસ પહોંચી રહી હતી અને ભારે નારાજગી જોવા મળી રહી હતી. જેના કારણે પાલિકા તંત્ર એ ખંડિત પ્રતિમાનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પ્રકારની સમસ્‍યા દર વર્ષે જોવા મળે છે જેમાં ભક્‍તો દ્વારા વિસર્જન કરવાની પદ્ધતિ અને પ્રતિમાની બનાવટ મુખ્‍ય જવાબદાર હોય છે. ખાસ કરીને પ્રતિમાનું કદ મોટું હોય તો એને દરિયાના ઊંડાણના ભાગમાં વિસર્જન કરવું જોઈએ અને ખાસ કરીને મૂર્તિની બનાવટમાં પ્‍લાસ્‍ટર ઓફ પેરિસનો બિલકુલ ઉપયોગ ન થાય એની કાળજી રાખવી જોઈએ. અને ભક્‍તો દ્વારામૂર્તિની વિસર્જન સ્‍થળ તરીકે તળાવ કે નદી કાંઠો તેમજ કુત્રિમ તળાવની પસંદગી કરવી જોઈએ, જેથી આ પ્રકારે અપમાનિત કરતા દ્રશ્‍ય પર અંકુશ આવી શકે.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં શિક્ષિત, સેવાભાવી, પ્રમાણિક અને ખમતીધર લોકોને આગળ આવવા પ્રગટ થઈ રહેલો જનમત

vartmanpravah

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

Leave a Comment