October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

  • મોટી દમણ જિ.પં. કાર્યાલયની પાછળ દમણ ન.પા.ની હદમાં પ્‍લાસ્‍ટિક અને કચરાના ઢગલાના નિકાલ માટે હંમેશા રખાતી નિષ્‍ક્રિયતા

  • આખરે દમણ ન.પા.ની સ્‍વચ્‍છતાનો ફૂટેલો પરપોટોઃ ચીફ ઓફિસરની તટસ્‍થતા સામે પણ પેદા થયેલા પ્રશ્નો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવ સિંહ રાજાવત અને પ્રશાસનિક ટીમે દમણ નગરપાલિકાની સફાઈ વ્‍યવસ્‍થા નિહાળવા માટે કરેલા આકસ્‍મિક નિરીક્ષણ દરમિયાન તેમાં કમી દેખાતા નગરપાલિકાના 3 સુપરવાઈઝર, 1 સિનિયર સુપરવાઈઝર અને 1 ઈન્‍ચાર્જ જુનિયર એન્‍જિનિયરને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કરતા સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દમણ શહેરની સ્‍વચ્‍છતા બાબતે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે.દમણ જિલ્લા પંચાયતના કાર્યાલયની પાછળ પ્‍લાસ્‍ટિક અને કચરાનો ઢગલો હોવા છતાં નગરપાલિકાના તંત્ર દ્વારા સફાઈ કરવામાં રખાતી ઉદાસિનતાનો પરપોટો આખરે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવ સિંહ રાજાવતના આકસ્‍મિક નિરીક્ષણ બાદ ફૂટવા પામ્‍યો છે.
પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી ગૌરવ સિંહ રાજાવતની સૂચનાથી અડફેટમાં આવેલા કર્મચારીઓ પૈકી કેટલાક આબાદ છટકી ગયા હોવાની લાગણી પણ મહેકમમાં વ્‍યક્‍ત થઈ રહી છે. તે બાબતે ચીફ ઓફિસર શ્રી અરૂણ ગુપ્તા તટસ્‍થ અભિગમ અપનાવે એવી લાગણી પણ પ્રગટ થઈ રહી છે.

Related posts

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

મધ્‍યપ્રદેશના મંદસૌર જીલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્‍લાસ્‍ટીક દાણા છેતરપીંડિ ગેંગના 4 ઈસમોને એલસીબી ટીમે વાપીથી ઝડપી પાડયા

vartmanpravah

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

Leave a Comment