આદિવાસી વિસ્તારોમાં મુખ્યત્વે ભાતનો મુખ્ય
ખોરાક તરીકે ઉપયોગ થાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: ચાલુ ચોમાસામાં પર્યાપ્ત વરસાદ પ્રથમ રાઉન્ડમાં જ પડી જતા ખેડૂતો માટે વાવણી અને રોપણી કરવા માટે માફકસરનો વરસાદ હોવાથી ધરમપુર કપરાડા જેવા વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગર રોપણીની શરૂઆત કરી દીધી છે.
ધરમપુર કપરાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ડાંગર (ભાત)નો ઉપયોગ મુખ્ય ખોરાક તરીકે થતો હોવાથી ખેડૂતો ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં કરે છે. ચાલુ વર્ષે પ્રારંભના જ ચોમાસામાં માફકસરનો વરસાદ પડતા ખેડૂતોએ ડાંગર ધરૂની રોપણી આરંભી દીધી છે. જો કે હજુ અમુક ખેડૂતો હજુ સારા વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે. પરંતુ મોટાભાગના ખેડૂતોએ ડાંગર ધરુની રોપણી શરૂ કર્યાનું ગામે ગામ મળી રહ્યો છે. કપરાડા-ધરમપુર વિસ્તારના ખેડૂતો માટે ડાંગર મુખ્ય પાક છે તેથી સમયસર રોપણી આરંભી દીધી છે.