(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાનહના દાદરા ગામ ખાતે વાઘધરા નજીક દમણગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં બે ગાયો ફસાઈ હોવાની સૂચના દાનહ કલેક્ટોરેટના કંટ્રોલ રૂમને મળી હતી. સૂચના મળતાં જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ડિઝાસ્ટરની ટીમ અને ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે રવાના કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણગંગા નદીનો પાણીનો પ્રવાહ ખુબ જ તેજ હોવાથી ગાયોનું રેસ્ક્યુ કરવું મુશ્કેલ હતું. તેથી મધુબન ડેમ ઓથોરિટીને દમણગંગા નદીમાં છોડાતા પાણીનો પ્રવાહ ઓછો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાંજે સાડા ચાર વાગ્યે પાણીનો પ્રવાહ ઓછો થતાં ફાયર વિભાગની ટીમ ઈન્ફલેટેબલ બોટ દ્વારા નદીમાં ઉતરી હતી અને સફળતાપૂર્વક બંને ગાયોને રેસ્ક્યુ કરી હતી. ત્યારબાદ ગાયોની સારવાર માટે પશુ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત ગૌશાળામાંં લઈ જવામાં આવી હતી.
Previous post