December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ‘‘ગુરૂ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બી.એડ.ના પ્રાધ્‍યાપકોનું કુમકુમના ચાંદલો કરી કાર્યક્રમ માટે આવકાર્યા હતા. દીપ પ્રાગટય કરી એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્‍યારબાદ બી.એડ.ના તમામ પ્રાધ્‍યાપકોનું પુષ્‍પ વડે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થી વૈરાગી પ્રિયંકા દ્વારા સ્‍તુતિ નૃત્‍ય, ગ્રુપ ડાન્‍સ દ્વારા ગુરુ સ્‍તુતિ, નૃત્‍ય, પટેલ ક્રેની અને પટેલ કરીના દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે વક્‍તવ્‍ય, વૈશાલી પટેલ અને મનાલી ધોડી દ્વારા કાવ્‍ય પઠન, મનીષા પટેલ દ્વારા દોહા ગાન, પ્રતીક્ષા પટેલ દ્વારા ગુરુ પૂર્ણિમાને લાગતી પ્રશ્નોત્તરી અને ગુરુનું વિશેષ મહત્ત્વ સમજાવતું નાટક રજૂ કરવામાં આવ્‍યું હતું. જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. ત્‍યારબાદ એસ.વાય. બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા પીપીટી પ્રેઝન્‍ટેશન દ્વારા વૈદિક કાળના ગુરુઓનો વિશિષ્‍ટ પરિચય કરાવી આપણી ભુલાતી જતી સંસ્‍કૃતિને ઉજાગરકરવાનો સમર્થ પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યા ડો.પ્રીતિ ચૌહાણ, ડો.ગુંજન વશી, ડો.રાહુલ ટંડેલ, ડો.વૈશાલી દેસાઈ અને પ્રા.અક્ષય ટંડેલ દ્વારા આશીર્વચનનો આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એફ.વાય. બી.એડ.ના તાલીમાર્થી મનાલી પટેલ, જયશ્રી ધોડી, એશ્વર્યા પટેલ અને પલક પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.વૈશાલી દેસાઈ, પ્રા.દીક્ષિતા ઢીમ્‍મર અને ડો.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

…તો યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિ.ના લીઝને રદ્‌ કરવાની સત્તા પ્રશાસન હસ્‍તક હોવી જોઈએ

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં આયોજીત એજ્‍યુકેશન ઈનોવેશન ફેર જીલ્લા કલેકટર એક દિવસ વધુ રાખવા જણાવ્‍યું : વિદ્યાર્થીઓને લાભ લેવા આગ્રહ કર્યો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

Leave a Comment