July 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી સ્‍થિત આર.કે. દેસાઈ કોલેજમાં ‘‘ગુરૂ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બી.એડ.ના પ્રાધ્‍યાપકોનું કુમકુમના ચાંદલો કરી કાર્યક્રમ માટે આવકાર્યા હતા. દીપ પ્રાગટય કરી એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્‍યારબાદ બી.એડ.ના તમામ પ્રાધ્‍યાપકોનું પુષ્‍પ વડે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. એફ.વાય.બી.એડ.ની તાલીમાર્થી વૈરાગી પ્રિયંકા દ્વારા સ્‍તુતિ નૃત્‍ય, ગ્રુપ ડાન્‍સ દ્વારા ગુરુ સ્‍તુતિ, નૃત્‍ય, પટેલ ક્રેની અને પટેલ કરીના દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે વક્‍તવ્‍ય, વૈશાલી પટેલ અને મનાલી ધોડી દ્વારા કાવ્‍ય પઠન, મનીષા પટેલ દ્વારા દોહા ગાન, પ્રતીક્ષા પટેલ દ્વારા ગુરુ પૂર્ણિમાને લાગતી પ્રશ્નોત્તરી અને ગુરુનું વિશેષ મહત્ત્વ સમજાવતું નાટક રજૂ કરવામાં આવ્‍યું હતું. જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું. ત્‍યારબાદ એસ.વાય. બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા પીપીટી પ્રેઝન્‍ટેશન દ્વારા વૈદિક કાળના ગુરુઓનો વિશિષ્‍ટ પરિચય કરાવી આપણી ભુલાતી જતી સંસ્‍કૃતિને ઉજાગરકરવાનો સમર્થ પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યા ડો.પ્રીતિ ચૌહાણ, ડો.ગુંજન વશી, ડો.રાહુલ ટંડેલ, ડો.વૈશાલી દેસાઈ અને પ્રા.અક્ષય ટંડેલ દ્વારા આશીર્વચનનો આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એફ.વાય. બી.એડ.ના તાલીમાર્થી મનાલી પટેલ, જયશ્રી ધોડી, એશ્વર્યા પટેલ અને પલક પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.વૈશાલી દેસાઈ, પ્રા.દીક્ષિતા ઢીમ્‍મર અને ડો.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

વાપીના ભિલાડથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકને પોલીસે ડ્રોનની મદદથી વાપી સીઈટીપી પાસે ઝાડીમાંથી શોધી કાઢયો

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

vartmanpravah

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

Leave a Comment