(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: ઝરોલી કાપડીપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મરહબા ફાર્મ હાઉસ ખાતે વનભોજન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સઈદભાઈ તરફથી નવરાત્રી અને રોઝાના શુભ દિવસોમાં એમના ફાર્મ હાઉસ પર વિદ્યાર્થીઓ માટે વન ભોજનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ, પિયુષભાઈ શાહ, હિતેશભાઈ, સરપંચ રેખાબેન, ફોરેસ્ટના કર્મચારીઓ, બીઆરસી, સીઆરસી સહિત શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વનભોજનના આયોજન બદલ મુખ્ય શિક્ષક મનોજસિંહ સોલંકી અને શાળાના સ્ટાફ મિત્રોએ સઈદભાઈ અને એમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.