August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી ચાર રસ્‍તા એપીએમસી માર્કેટની હદમાં સ્‍થાનિક બહેનો વર્ષોથી નેટના મંડપબાંધી છૂટક કેરી વેચી વર્ષભરની કમાણી કરતી હોય છે. સવારથી સાંજ સુધી છૂટક કેરી વેચ્‍યા બાદ નેટના બનાવેલા મંડપમાં જ કેરેટમાં કેરી ભરી મંડપ બંધ કરી રાત્રિ દરમિયાન પોતાના ઘરે જઈ સવારે પરત ફરી કેરીના છૂટક વેચાણ કરે છે.
આજથી બે દિવસ પહેલા આવી જ રીતે મંડપ બાંધી છૂટક કેરી વેચી વર્ષભર માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ભાનુબેન મનિષાબેન વિગેરેનાઓ સવારથી સાંજ સુધી કેરી વેચી રાત્રી દરમ્‍યાન બાકી રહેલ કેરીને કેરેટમાં ભરી નેટના મંડપમાં કેરી ભરેલ કેરેટ મૂકી ઘરે ગઈ હતી. આ દરમિયાન આશરે મોડી રાત્રે બે વાગ્‍યા પછી એક છોટાહાથી ટેમ્‍પો આવી આ બહેનોના મંડપ પાછળના ભાગેથી ફાડી નાખી મંડપમાં રાખેલ કેરેટમાં ભરેલ કેરી ટેમ્‍પામાં ભરી કેરીની ચોરી કરી નાસી છૂટયો હતો.
એપીએમસી માર્કેટના દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી પરંતુ વિઝન દૂર હોય ટેમ્‍પો નંબર કે વ્‍યક્‍તિને ઓળખી શકાય એમ નથી.
પરંતુ ટેમ્‍પો ચાલકની હલચલ અને હરકત જોતા આ ટેમ્‍પો ચાલક સ્‍થાનિક હોવાનું અને અહીંનો કોઈ સ્‍થાનિક પણ આ કેરી ચોરીમાં સામેલ હોવાનું પ્રાથમિક ધોરણે નજરે લાગી રહ્યું છે.
ભોગ બનનાર બહેનોએ પારડી પોલીસ સ્‍ટેશનમાં આઅંગેની જાણ કરી હતી અને અન્‍ય ચાર રસ્‍તા ઉપર લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે તો ટેમ્‍પો નંબર મળી શકે એમ હોય પોલીસ પાસે ન્‍યાય મળે એવી આશા રાખી રહી છે.
હાલમાં તો ટેમ્‍પો પકડાય કે ન પકડાઈ પણ આ બહેનોની વર્ષભરની મહેનત અને કમાણી ગુમાવી દેતા મુશ્‍કેલીઓમાં આવી ગઈ છે.

Related posts

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment