Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: દરેક વર્ષે ચાર નવરાત્રીઓ આવે છે તેમાં ચૈત્રી નવરાત્રીનું સૌથી વધુ મહત્‍વ છે. માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં મહા યજ્ઞ તથા વૈદિક પરંપરા અનુસાર પ્રાચીન રાસ ગરબાના સાંસ્‍કળતિક કાર્યક્રમ થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં દરરોજ સવારે શ્રી યાગ મહાયજ્ઞ થાય છે. આ યજ્ઞ કરવાથી માઁ લક્ષ્મીજીની કળપા વરસતી રહે છે તેમજ ધન, એશ્વર્ય એવમ બળમાં વૃધ્‍ધિ થાય છે. યજ્ઞથી ભૌતિક સ્‍તરે, આધ્‍યાત્‍મિક સ્‍તરે સમસ્‍યા કે સ્‍વાસ્‍થ્‍ય સબંધી ઘણાં રોગમાં પ્રત્‍યક્ષ લાભ પ્રાપ્ત થાય છે. યજ્ઞથી વાતાવરણનું જબરજસ્‍ત શુધ્‍ધિકરણ થાય છે. દેશ વિદેશથી આવેલા અનેક ભક્‍તો આ શ્રી યાગ મહાયજ્ઞનો લાભ લઈ રહ્યા છે.
નવરાત્રીનાનવ દિવસ દરરોજ રાત્રે 9.00 વાગ્‍યે મહા આરતી અને ત્‍યારબાદ પ્રાચીન રાસ ગરબા થાય છે. નવરાત્રીના પ્રથમ દિવસે રાસ ગરબાની રમઝટ પ્રત્‍યક્ષ નિહાળવા માત્ર ગુજરાત કે ભારતવર્ષથી નહીં પરંતુ વિશ્વભરથી હજારોની સંખ્‍યામાં ભક્‍તો ઉપસ્‍થિત રહ્યાં હતાં અને આ સાંસ્‍કળતિક કાર્યક્રમનો આનંદ માણ્‍યો હતો. આ મહાયજ્ઞ તથા સાંસ્‍કળતિક કાર્યક્રમ યુટયુબ પર માઁ વિશ્વંભરી તિર્થધામની ચેનલ પર તેમજ અનેક ટીવી ચેનલોમાં લાઇવ પ્રસારણ થઈ રહ્યું છે. દેશ-વિદેશમાં અસંખ્‍ય લોકો ઘર બેઠા આ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ નિહાળીને આનંદ માંણી રહ્યા છે.
આવા સાંસ્‍કળતિક કાર્યક્રમો થકી મૂળ સનાતન ભારતીય સંસ્‍કળતિ સમગ્ર વિશ્વમાં ઉજાગર થાય અને માઁ વિશ્વંભરીની દિવ્‍ય ક્રાંતિકારી વિચારધારા તથા દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રધ્‍ધા છોડીને ઘર તરફ પાછા વાળો અને ઘરને જ મંદિર બનાવો” વિશ્વના પ્રત્‍યેક માનવી સુધી પહોંચે એ માટે આ ધામના સ્‍થાપક શ્રી મહાપાત્ર પુરુષાર્થ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં વૈચારિક ક્રાંતિ થાય, આદર્શ કુટુંબ વ્‍યવસ્‍થા તથા આદર્શ સમાજ વ્‍યવસ્‍થા સ્‍થાપિત થાય એ માટે આ ધામ નિશ્વાર્થ ભાવે સતત કાર્યશીલ છે. આ ધામેથી પ્રેરણા લઈને અસંખ્‍ય લોકોએ પોતાના ઘરને ઘરમંદિર બનાવ્‍યાં છે. જે ઘરોમાં આજે આધિ-ઉપાધિ-વ્‍યાધિ, અંધશ્રધ્‍ધા દૂર થઈ ગઈ છે અનેલોકો વ્‍યક્‍તિ પૂજા છોડીને શક્‍તિ પૂજા અપનાવવા લાગ્‍યા છે. આવા ઘરમંદિરમાં રહેતા લોકોમાં સાચી સમજણ આવતા પરિવારમાં, આડોસ-પડોસમાં, સમાજમાં નાના-મોટા ઝગડા, કલેશ, કંકાસ વગેરે દૂર થયાં છે અને ઘરમાં જ લોકોને શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે.

Related posts

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્‍થળોની લીધેલી મુલાકાત

vartmanpravah

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment