July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ રાજકીય પક્ષો પણ પોતાની રાજકીય વિચારધારાને બાજુએ મુકી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહ અને દમણ-દીવના કરેલા નવનિર્માણ ઉપર મહોર મારી પ્રધાનમંત્રીના સત્‍કાર માટે પ્રદેશના તમામ રાજકીય પક્ષો પણ જોડાવા આતુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અગામી તા.19મી નવેમ્‍બરના શનિવારે દમણ એરપોર્ટ થઈ રોડ માર્ગે વાપી જવાના હોવાથી દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે ભવ્‍ય રોડ શોનું આયોજન હાથ ધરાયું છે.
પ્રધાનમંત્રીશ્રીના પાવન પગલાં દમણની ધરતી ઉપર પડી રહ્યા છે ત્‍યારે શનિવાર તા.19મી નવેમ્‍બરના રોજ ભવ્‍ય રોડ શો માટેનો તખ્‍તો તૈયાર થઈ ચુક્‍યો છે. નાની દમણ એરપોર્ટથી મશાલચોક થઈ જનારા રૂટ ઉપર આખું દમણ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે ઉમટી પડે એ પ્રકારના આયોજનને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવી રહ્યું છે અને અગામી તા.30મી નવેમ્‍બરે યોજાનાર પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતને પણ અત્‍યંત સફળ અને યાદગાર બનાવવાપ્રશાસનિક પ્રયાસો પણ તેજ થયા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિવસેના ઉદ્ધવ જૂથને છોડી તમામ રાજકીય પક્ષો પણ પોતાના પક્ષની વિચારધારાને ભૂલી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના કરેલા નવનિર્માણ ઉપર મહોર મારી ચુક્‍યા છે અને પ્રધાનમંત્રીશ્રીના સત્‍કાર માટે પ્રદેશના તમામ રાજકીય પક્ષો પણ થનગની રહ્યા છે. સંભવતઃ આ પ્રકારની ઘટના કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જ શક્‍ય હશે. કારણ કે, તમામ રાજકીય પક્ષોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને ખુલ્લું સમર્થન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જાહેર કર્યું છે.

Related posts

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના નવનિયુક્‍ત અધ્‍યક્ષ પવન અગ્રવાલનું ભાજપ નેતા હરિશ પટેલસહિત આગેવાનોએ કરેલું અભિવાદન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment