April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

‘કહીં ગમ કહીં ખુશી’નો માહોલઃ પોલીસ તંત્રને વધુ ગતિશીલ પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી ચિપાયેલો બદલીનો ગંજીફો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ બોર્ડ દ્વારા પ્રદેશના 113 જેટલા પોલીસકર્મીઓની આંતર જિલ્લા અને આંતર વિભાગ બદલી કરતાં ‘કહીં ગમ કહીં ખુશી’નો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્રને વધુ ગતિશીલ પારદર્શક અને પ્રજાભિમુખ બનાવવાના હેતુથી આ બદલીઓ કરાઈ હોવાનું માનવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ ખાતે કાર્યરત 15 હેડ કોન્‍સ્‍ટેબલોને દાદરા નગર હવેલી, બે હેડ કોન્‍સ્‍ટેબલોને દીવ અને દાદરા નગર હવેલીના 15 હેડ કોન્‍સ્‍ટેબલોને દમણ તથા દીવ ખાતે ફરજ બજાવતા ત્રણ હેડ કોન્‍સ્‍ટેબલો પૈકી બે(2)ને દમણ અને એક(1)ને દીવ ખાતે બદલવામાં આવ્‍યા છે. જ્‍યારે 7 હેડ કોન્‍સ્‍ટેબલોની દમણ જિલ્લામાં આંતરિક બદલી કરાઈ છે.
દમણ ખાતે કાર્યરત 31 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દાનહ અને 1 પોલીસ કોન્‍સ્‍ટેબલને દીવ તથા દાદરા નગર હવેલીના 34 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દમણ અને દાનહના 2 પોલીસ કોન્‍સ્‍ટેબલોને દીવ ખાતે બદલી કરાયા છે.
દીવ જિલ્લામાં રહેતા પોલીસકર્મીઓનીપોતાના જિલ્લામાં થયેલી બદલીથી પ્રસન્નતા જોવા મળી છે. જ્‍યારે દીવ ખાતે કાર્યરત દમણ, દાનહના પોલીસકર્મીઓને પોતાના જિલ્લામાં ટ્રાન્‍સફર થતાં રાહતનો પણ દમ લીધો છે.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્‍યારે પોલીસકર્મીઓની કરાયેલી બદલી પોલીસ તંત્રને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તથા પારદર્શક અને તટસ્‍થ ચૂંટણી વ્‍યવસ્‍થા માટે ઉપયોગી સાબિત થશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

ખાનવેલ ચાર રસ્‍તા નજીક ખુલ્લી ગટરથી ગંદકીની ભરમાર

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિઓએ કેન્‍દ્રીય વાહન વ્‍યવહાર મંત્રી ગડકરીને હાઈવેની દુર્દશા માટે પત્ર લખ્‍યો

vartmanpravah

ઘણાં સમયથી સેલવાસમાં જ્‍વેલર્સોને નકલી દાગીના સાથે અસલી બિલ આપી છેતરપિંડી કરતી મહિલા ગેંગ અંતે ઝડપાઈ

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

Leave a Comment