April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

પટલારા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન ધોડી સહિત પંચાયતના સભ્‍યો દ્વારા વન વિભાગ સાથે મળી મોટી દમણના આંબાવાડી, માછીવાડ અને જમ્‍પોરના દરિયા કિનારે 800 મેંગ્રોવનું કરેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.26 : દર વર્ષે 26મી જુલાઈએ ‘વિશ્વ ચેર(મેંગ્રોવ) દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે દમણમાં વન વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મેંગ્રોવ દિવસની ઉજવણી કરી હતી.
દરિયાનાં આછા વાદળી પાણી વચ્‍ચે ચેરનાં લીલાછમ જંગલો તેની શોભા અનેક ગણી વધારી દે છે. દરિયાકાંઠાની સજીવસૃષ્ટિ માટે અતિ અગત્‍યનાં ચેરનાં જંગલોની સુરક્ષા માટે લોક જાગૃતિ કેળવવા ‘વિશ્વ ચેર(મેંગ્રોવ) સંરક્ષણ દિન’ ઉજવવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજે દમણના પટલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડી તથા પંચાયતના સભ્‍યો દ્વારા મોટી દમણના આંબાવાડી, માછીવાડ, જમ્‍પોર વગેરે વિસ્‍તારના દરિયાકિનારે કુલ 800 જેટલા મેંગ્રોવનું વાવેતર કરી ‘વિશ્વ ચેર(મેંગ્રોવ) દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, સમુદ્રના કિનારાઓ ઉપર કળણભૂમિમાં થતો વનસ્‍પતિ સમૂહને ચેર(મેંગ્રોવ)નાં કે ભરતીનાં જંગલો કહે છે. ય્‍ત્ર્શદ્યંષ્ટત્ર્ંર્શ્વી પ્રકારની વનસ્‍પતિઓ અને ઝાડવાં માટે ‘મૅન્‍ગલ’શબ્‍દનો ઉપયોગ અમેરિકનો, સ્‍પૅનિયાર્ડો અને પૉર્ટુગીઝો કરે છે. આ શબ્‍દનું પછી ‘મૅન્‍ગ્રોવ’માં રૂપાંતર થયું છે. વિશ્વમાં ચેરનાં જંગલનો પટ્ટો ઉષ્‍ણકટિબંધ અને સમશીતોષ્‍ણ કટિબંધનાં 30થી વધારે દેશોનો લગભગ 99,300 ચો.કિમી. વિસ્‍તાર રોકે છે. ભારતમાં અંદાજે 6,740 ચો.કિમી. ચેર વિસ્‍તાર છે. આંદામાન અને નિકોબારનો લગભગ 40% દરિયાકિનારો 260 કિમી.ની ચેરની પટ્ટીથી ઢંકાયેલો છે. પヘમિ બંગાળનું સુંદરવન ‘વૈશ્વિક વારસાનાં સ્‍થળ’ તરીકે પ્રસિદ્ધ છે જે દુનિયાની નૈસર્ગિક અજાયબી ગણાય છે અને તે 2,123 ચો.કિમી.નો વિસ્‍તાર ધરાવે છે. સુંદરવનનાં ચેરનાં જંગલો ફળદ્રૂપ અને વૈવિધ્‍યપૂર્ણ છે, જેમાં ઉભયજીવીઓ, સરીસૃપો, માછલીઓ અને ડૉલ્‍ફિન તથા શિશુમાર જેવાં સસ્‍તનો અને હજારો જાતનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે છે. ગંગા, મહાનદી, ગોદાવરી, કળષ્‍ણા, કાવેરી નદીનાં મુખત્રિકોણમાં અને આંદામાન-નિકોબારનાં ટાપુઓમાં જોવા મળતાં ચેરનાં જંગલોની દુનિયામાં સારામાં સારી જાતનાં ચેરનાં જંગલોમાં ગણના થાય છે.

Related posts

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah

ઉમરગામના અચ્‍છારી ખાતે વયોવૃદ્ધ 73 વર્ષની મહિલાની જમીન હડપી લેવા સુરતના ગુંડાઓને અપાયેલી સોપારી

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

દીવ પોલીસ વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય એકતા નિમિત્તે પરેડનું થયું આયોજન

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં દમણના કચીગામ કાછલ ફળિયા સહિત સમગ્ર વિસ્‍તાર ભક્‍તિમય બન્‍યો

vartmanpravah

Leave a Comment