January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસને દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બર્ખાસ્‍ત કરવાનો લીધેલો નિર્ણય ઐતિહાસિક અને આવકારદાયક : પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ

વર્ષોથી પરિવારવાદની રાજનીતિથી ત્રાસેલા આદિવાસી સમાજના યુવાનોમાં ખુશી અને આનંદની પ્રસરેલી લહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠનની સમિતિને બર્ખાસ્‍ત કરવાનો સંઘપ્રદેશપ્રશાસન દ્વારા લેવામાં આવેલ નિર્ણયની સરાહના કરતા પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે ખુશી વ્‍યક્‍ત કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે તા.8 જુલાઈ, 2011ના રોજ તત્‍કાલિન પ્રશાસક શ્રી નરેન્‍દ્ર કુમારને આદિવાસી વિકાસ સંગઠનમાં ચાલતી વિવિધ ગેરરીતિઓ અને અનિયમિતતાની લેખિત ફરિયાદ કરી હતી. તેમણે ડેલકર પરિવાર દ્વારા આદિવાસી ભવનના પોતાની બાપીકી પેઢી તરીકે થઈ રહેલા વહીવટની પણ જાણકારી આપી હતી.
શ્રી નટુભાઈ પટેલે આદિવાસી ભવનમાં બનાવવામાં આવેલ દુકાનોમાંથી એક પણ દુકાન આદિવાસી સમાજની વ્‍યક્‍તિને નહીં આપી આ સંપત્તિનો વર્ષોથી થઈ રહેલ દુરૂપયોગની જાણકારી પણ આપી હતી. ડેલકર પરિવારના સાપ્તાહિક અખબાર પ્રકાશન એસ.એસ.આર. પબ્‍લિકેશન અને ડીએનએચ ન્‍યૂઝ ચેનલનું કાર્યાલય પણ આદિવાસી ભવનમાં બનાવવા ઉપરાંત ડેલકર પરિવારની સિક્‍યુરીટી એજન્‍સીનું કાર્યાલય તથા તેના પ્રશિક્ષણની ઓફિસ પણ ગેરકાયદે રીતે આદિવાસી ભવનમાં વર્ષો સુધી કાર્યરત હોવાની પણ માહિતી આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં આદિવાસી વિકાસ સંગઠનની મેનેજમેન્‍ટ કમીટિને બર્ખાસ્‍ત કરી આદિવાસી ભવનના સંચાલનને પોતાના હાથમાં લેવાનો લીધેલો પ્રશાસનનો નિર્ણય ઐતિહાસિક અને આવકારદાયક હોવાનું પણ પૂર્વસાંસદ શ્રી નટુભાઈ પટેલે જણાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, વર્ષોથી પરિવારવાદની રાજનીતિથી ત્રાસેલા આદિવાસી સમાજના યુવાનોમાં ખુશી અને આનંદની લહેર પ્રસરી જવા પામી છે. આદિવાસી વિકાસ સંગઠનને એક મોહરૂં બનાવી પડદા પાછળથી પોતાનો અંગત આર્થિક લાભ લેવા માટે આદિવાસી ભવનનો દુરૂપયોગ કરનારા ડેલકર પરિવારના કુકર્મો હવે પ્રજાની વચ્‍ચે ખુલી ગયા હોવાની લાગણી પણ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે વ્‍યક્‍ત કરી છે. તેમણે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે કે, આવતા દિવસોમાં સમસ્‍ત દાદરા નગર હવેલીના આદિવાસી સમાજ માટે આદિવાસી ભવન અને આદિવાસી વિકાસ સંગઠન પ્રશાસનની સક્રિયતા અને હકારાત્‍મકતાથી સમૃદ્ધિનું પ્રતિક બનશે.

Related posts

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

વલસાડ પોલીસે 13 પોલીસ સ્‍ટેશનનો જપ્ત કરેલો રૂા.8.37 કરોડના જથ્‍થા ઉપર રોલર ફેરવ્‍યું

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

Leave a Comment