April 17, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

દાદરા નગર હવેલીની મુક્‍તિના 70મા વર્ષે આત્‍મમંથન

દાદરા નગર હવેલી 2 ઓગસ્‍ટના રોજ પોતાના 70મા મુક્‍તિ દિનની ઉજવણી કરવા જઈ રહ્યું છે. કોઈપણ દેશ હોય, રાજ્‍ય કે જિલ્લો હોય અથવા ગામ હોય, તે તમામની ઐતિહાસિક ગાથા જાળવી રાખવાની જવાબદારી ત્‍યાંના નાગરિકો, પ્રજાની હોય છે અને લોકશાહીમાં વિશેષ જવાબદારી લોકનેતાની રહે છે.
દાદરા નગર હવેલી માટે આમ જોવા જઈએ તો 22 જુલાઈથી 15મી ઓગસ્‍ટ સુધીનો સમય આઝાદીના જશ્‍નનો રહેવો જોઈએ. કારણ કે, 22મી જુલાઈ 1954ના રોજ દાદરા આઝાદ થયું ત્‍યારબાદ 28મી જુલાઈએ નરોલી અને 2 ઓગસ્‍ટ 1954ના રોજ સેલવાસ પોલીસ સ્‍ટેશન ઉપર કબ્‍જો મેળવી સ્‍વાતંત્ર્ય સેનાનીઓએ પોર્ટુગીઝોને બહાર ખદેડી દીધા હતા. 11મી ઓગસ્‍ટ, 1961ના રોજ દાદરા નગર હવેલી ભારતીય સંઘનું એક અવિભાજ્‍ય અંગ બન્‍યું હતું અને 15મી ઓગસ્‍ટ દેશનો સ્‍વાતંત્ર્ય દિવસ હોવાથી 22મી જુલાઈથી લઈ 15મી ઓગસ્‍ટ સુધી દાદરા નગર હવેલીમાં આઝાદીનો આનંદ-ઉત્‍સવ રહેવો જરૂરી હતો.
દાદરા નગર હવેલીની દીર્ઘદૃષ્‍ટિ વગરની નેતાગીરીએ ફક્‍ત 2 ઓગસ્‍ટની ઉજવણીને સર્વોપરી માનવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ પ્રશાસનના સરકારી કાર્યક્રમમાં સાંસદશ્રીને પ્રદેશના લોક પ્રતિનિધિ તરીકે સંબોધવાની તક મળે એટલે રાજીના રેડ થઈજતા હતા. પરંતુ દાદરા નગર હવેલીની નેતાગીરીએ ક્‍યારેય પણ એ નહીં વિચાર્યું કે દાદરા નગર હવેલીની આઝાદીને એક ઉત્‍સવનું સ્‍વરૂપ આપીએ અને તેમાં પ્રદેશના તમામ લોકોને જોડી સતત 25 દિવસ સુધી લોકોને આઝાદીની ગાથાની યાદ અપાવવાની સાથે થઈ રહેલા સતત વિકાસની ઝાંખી પણ કરાવીએ.
દાદરા નગર હવેલીના મુક્‍તિ દિવસની ઉજવણી પ્રશાસને બંધ કરી નથી. ફક્‍ત તેમાં કેટલાક સુધારા કર્યા છે. પરંતુ પ્રદેશના લોકો પોતાની રીતે મુક્‍તિનો ઉત્‍સવ મનાવવા માટે સ્‍વતંત્ર છે. જો લોકોમાં ઉત્‍સાહ જાગે અને ઉજવણી માટે મોટી સંખ્‍યામાં જોડાઈ તો આવતા દિવસોમાં પ્રશાસન પણ તેમાં સામેલ થઈ શકે એવી શક્‍યતા નકારાતી નથી. તેથી જુસ્‍સો અને જોમ જાળવવાની જવાબદારી પ્રજાની છે અને તેને યોગ્‍ય દોરવણી આપવાનું કામ નેતૃત્‍વ શક્‍તિએ કરવાનું છે.

Related posts

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં દસમાં વાર્ષિક મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

મોબાઈલમાં લુડો એપ્‍લીકેશન ગેમમાં પૈસા વડે જુગાર રમતા 12 જુગારીઓને વાપી ઉદ્યોગનગર પોલીસે ઝડપી પાડયા: રોકડા 7560 અને 3 મોબાઈલ મળી કુલ રૂા.22560 નો સરસામાન કબજે

vartmanpravah

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

vartmanpravah

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

vartmanpravah

Leave a Comment