April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી

પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું હોવાથી યોગા- મેડીટેશન ઉપયોગીઃ ડો. રાધિકા ટીક્કુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, રમત-ગમત વિગેરે ક્ષેત્રોમાં સક્ષમ થાય તે હેતુસર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી તા.૭/૮/૨૦૨૩ સુધી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન પદેથી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે મહિલાઓ આગળ આવે તે માટેના પ્રયાસો તથા દિકરી જન્મે તે માટેના પ્રોત્સાહન આપવા માટે તેમજ દિકરા-દિકરી એક સમાન સુત્રને સાર્થક કરવા માટે ભાર મુક્યો હતો. ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. રાધિકા ટીક્કુએ ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું સ્થાન ઉચ્ચ હોવાનું જણાવી આજના સમયમાં પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહેલ હોવાથી યોગા મેડીટેશન વિગેરે ઉપર ભાર મુકવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કિરણ પી.પટેલ દ્વારા PCPNDT વિશે અને ઉમરગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલ દ્વારા PCPNDT સંલગ્ન કાયદાકીય જોગવાઇઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અસ્તિત્વ મહિલા સંસ્થાના પ્રમુખ અર્ચનાબેન દેસાઇએ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક આગળ વધવા અને દિકરીઓને વધાવવા માટે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતુ. આર.સી.એચ.ઓ ડો.એ.કે સિંગે આર.કે.એસ.કે પ્રોગ્રામ વિશે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા રંજનબેન પટેલ તથા મહિલા અને બાળ વિભાગ, દહેજ પ્રતિબંધક વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમત- ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ બદલ ટ્રોફી તથા વ્હાલી દિકરી યોજના અંતર્ગત સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. હરિયા પ્રા.આ.કેન્દ્રના ડો. અંજના પટેલે આભારવિધિ કરી હતી.

Related posts

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

vartmanpravah

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

Leave a Comment