Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર આયોજિત પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા પ્રમુખસ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર, નાસિક બાયપાસ રોડ, ધરમપુર ખાતે ગુજરાત સ્‍ટેટ એઈડ્‍સ કંટ્રોલ સોસાયટી, અમદાવાદ દ્વારા ટ્રાઈબલ વિસ્‍તારમાં યુવાઓ માટે એચ.આઈ.વી એઈડ્‍સ અને ટીબી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્રના ડિસ્‍ટ્રીક્‍ટ યુથ ઓફિસર સત્‍યજીત સંતોષે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા યુવાનો અને યુવતીઓને નહેરૂ યુવા કેન્‍દ્ર અને તેના કાર્યો વિશે માહિતગાર કર્યા હતા. અમદાવાદથી ઉપસ્‍થિત રહેલા ગુજરાત સ્‍ટેટ એઈડ્‍સ કંટ્રોલ સોસાયટીના ડેપ્‍યુટીડાયરેક્‍ટર મનુભાઈ વાઘેલાએ એઈડ્‍સ વિશે પ્રોજેક્‍ટર પર પીપીટી દ્વારા માહિતી આપી વિસ્‍તૃત સમજણ પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં ધરમપુર પ્રમુખ સ્‍વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરના પ્રિન્‍સીપાલ જિજ્ઞેશ પટેલ, પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન ગાંવિત અને જિલ્લા ક્ષય કેન્‍દ્રના એસ.ટી.એસ અને આઈ.સી.ટી.સી કાઉન્‍સિલર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે રવિવારે રાતે યમદૂત બન્‍યો : બે જુદા જુદા અકસ્‍માતમાં ત્રણના મોત

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment