January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : ગઈકાલે રાત્રિના સુમારે સેલવાસ-નરોલી રોડ પર અથાલ દમણગંગા નદીના પુલ પર એક યુવાન દોડતો દોડતો આવી નદીમાં ઝંપલાવી દીધું હતું.ફાયર વિભાગની ટીમે રેસ્‍કયુ કરી યુવાનને બચાવી સારવાર અર્થે સિવિલ હાસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમેશ કુમાર (ઉ.વ.21) હાલ રહેવાસી પ્રમુખ વિહાર સોસાયટી- સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્‍યાના સુમારે ઘરના વડીલો સાથે અગમ્‍ય કારણસર ઝગડો કર્યા બાદ હું મરી જઈશ એમ કહી સોસાયટીમાંથી દોડતો દોડતો બહાર નીકળી ગયો હતો, જેની પાછળ એમના પરિવારના સભ્‍યો પણ દોડીને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હાથમા આવ્‍યો ન હતો અને દમણગંગા નદીના પુલ પરથી છલાંગ લગાવી દીધી હતી.
આ ઘટના અંગે ફાયર અને પોલીસ તંત્રને કરવામાં આવતા ફાયરના લાશ્‍કરો અને પોલીસકર્મીઓની ટીમ ધસી આવી હતી.લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ યુવાનને નદીમાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો, તે સમયે અર્ધબેભાન અવસ્‍થામાં હતો જેથી તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. યુવકની હાલત નાજુક હોવાના કારણે વધુ સારવાર માટે આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્‍યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં યુવાનોમાં ધીરજની કમીના કારણે અજુગતુ પગલું ભરી દેવાનો જાણે નિયમ બની ગયો હોય એમ ઘટના બની રહી છે. અંતે જેનો ભોગ એમના પરિવારના વડીલો અને સભ્‍યોએ ભોગવવો પડે છે.

Related posts

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો-ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ

vartmanpravah

Leave a Comment