July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

પ્રદેશના ત્રણેય જિલ્લાના કુલ 1,85,511 બાળકોને આલ્‍બેંડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 10 ઓગસ્‍ટ, 2023ના રોજ ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો હતો. આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ બાળકોમાં પરોપજીવી કૃમિ સંક્રમણને નાબૂદ કરીને આપણાં યુવાઓના આરોગ્‍ય અને કલ્‍યાણને પ્રોત્‍સાહન આપવાનો છે, આ અવસરે કુલ 1,,85,511 બાળકોને આલ્‍બેંડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.
આ પહેલ અંતર્ગત દરેક બાળકોના આરોગ્‍યની સુરક્ષાની ખાતરી કરવા માટે આલ્‍બેંડાઝોલટેબલેટોનું વિતરણ 10 ઓગસ્‍ટ, 2023થી શરૂ કરાયું છે. આ ટેબલેટ કૃમિ સંક્રમણને નાબૂદ કરવા અને આપણા યુવાન રહેવાસીઓના સામાન્‍ય આરોગ્‍યને પ્રોત્‍સાહન આપવા માટે એક મહત્‍વપૂર્ણ ઉપાય છે. આ ટેબલેટોની વ્‍યવસ્‍થાથી બાળકોને કૃમિ સંક્રમણના હાનિકારક અસરથી સુરક્ષા મળશે.
ખાસ મહત્‍વનું છે કે, તે બાળકો માટે, જેમણે 10 ઓગસ્‍ટ, 2023ના રોજ કૃમિ મુક્‍તિ ટેબલેટ મેળવેલ નથી, તેમના માટે ‘મોપ અપ ડે’નું આયોજન 17 ઓગસ્‍ટ, 2023ના રોજ કરવામાં આવશે. તે દિવસે તે ખાસ બાળકોને ટેબલેટ આપવામાં આવશે જેમણે પહેલાં કૃમિ મુક્‍તિ ટેબલેલ મેળવી નહીં હોય, જેથી આપણા વિસ્‍તારમાં દરેક બાળકોને કૃમિ સંક્રમણથી જરૂરી સુરક્ષા મળી શકે.
આપણે તમામ માતા-પિતા, વાલીઓ અને શૈક્ષણિક સંસ્‍થાઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ પહેલમાં સક્રિય ભાગ લે અને ખાતરી કરે કે તેમના બાળકો આ મહત્‍વપૂર્ણ આરોગ્‍ય અભિયાનનો ભાગ બને. યુ.ટી. પ્રશાસન આપણી યુવાન પેઢીના આરોગ્‍ય અને કલ્‍યાણ પ્રત્‍યે સમર્પિત છે અને વિશ્વાસ છે કે એક તંદુરસ્‍ત બાળક સમૃદ્ધ ભવિષ્‍યનો પાયો છે.
તેથી આવો આપણે સૌ સાથે મળી રાષ્‍ટ્રીય કૃમિ નાબૂદી દિવસને સફળ બનાવીએ અને આપણાં બાળકો માટે એક તંદુરસ્‍ત, ખુશમય અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે યોગદાન આપીએ.

Related posts

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

Leave a Comment