April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

પ્રદેશના ત્રણેય જિલ્લાના કુલ 1,85,511 બાળકોને આલ્‍બેંડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 10 ઓગસ્‍ટ, 2023ના રોજ ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો હતો. આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ બાળકોમાં પરોપજીવી કૃમિ સંક્રમણને નાબૂદ કરીને આપણાં યુવાઓના આરોગ્‍ય અને કલ્‍યાણને પ્રોત્‍સાહન આપવાનો છે, આ અવસરે કુલ 1,,85,511 બાળકોને આલ્‍બેંડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.
આ પહેલ અંતર્ગત દરેક બાળકોના આરોગ્‍યની સુરક્ષાની ખાતરી કરવા માટે આલ્‍બેંડાઝોલટેબલેટોનું વિતરણ 10 ઓગસ્‍ટ, 2023થી શરૂ કરાયું છે. આ ટેબલેટ કૃમિ સંક્રમણને નાબૂદ કરવા અને આપણા યુવાન રહેવાસીઓના સામાન્‍ય આરોગ્‍યને પ્રોત્‍સાહન આપવા માટે એક મહત્‍વપૂર્ણ ઉપાય છે. આ ટેબલેટોની વ્‍યવસ્‍થાથી બાળકોને કૃમિ સંક્રમણના હાનિકારક અસરથી સુરક્ષા મળશે.
ખાસ મહત્‍વનું છે કે, તે બાળકો માટે, જેમણે 10 ઓગસ્‍ટ, 2023ના રોજ કૃમિ મુક્‍તિ ટેબલેટ મેળવેલ નથી, તેમના માટે ‘મોપ અપ ડે’નું આયોજન 17 ઓગસ્‍ટ, 2023ના રોજ કરવામાં આવશે. તે દિવસે તે ખાસ બાળકોને ટેબલેટ આપવામાં આવશે જેમણે પહેલાં કૃમિ મુક્‍તિ ટેબલેલ મેળવી નહીં હોય, જેથી આપણા વિસ્‍તારમાં દરેક બાળકોને કૃમિ સંક્રમણથી જરૂરી સુરક્ષા મળી શકે.
આપણે તમામ માતા-પિતા, વાલીઓ અને શૈક્ષણિક સંસ્‍થાઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ પહેલમાં સક્રિય ભાગ લે અને ખાતરી કરે કે તેમના બાળકો આ મહત્‍વપૂર્ણ આરોગ્‍ય અભિયાનનો ભાગ બને. યુ.ટી. પ્રશાસન આપણી યુવાન પેઢીના આરોગ્‍ય અને કલ્‍યાણ પ્રત્‍યે સમર્પિત છે અને વિશ્વાસ છે કે એક તંદુરસ્‍ત બાળક સમૃદ્ધ ભવિષ્‍યનો પાયો છે.
તેથી આવો આપણે સૌ સાથે મળી રાષ્‍ટ્રીય કૃમિ નાબૂદી દિવસને સફળ બનાવીએ અને આપણાં બાળકો માટે એક તંદુરસ્‍ત, ખુશમય અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે યોગદાન આપીએ.

Related posts

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

26મી જાન્‍યુઆરી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાનહ પોલીસે પરેડની કરેલી કવાયત

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment