October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03
એસ.ટી.બસ ડેપોમાં પાણીનું પરબ નથી મુસાફરોને બેસવાની યોગ્‍ય જગ્‍યા નથી. એસ.ટી. બસનાં પ્‍લેટફોર્મ પર જીવનાં જોખમે ઊભા રહી મુસાફરી કરી રહ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારનાં માર્ગ વાહન વ્‍યવહાર નિગમ દ્વારા વલસાડ એસ.ટી. ડેપોનું આધુનિક મકાન માટે વર્ષ-2017 માં રૂા.4, 45, 39, 346.93 રૂપિયાની ગ્રાન્‍ટ મંજુર કરી હતી. જેનું કામ મે.સાવલિયા એમ, સુરતની સોંપવામાં આવ્‍યું હતું મે.સાવલિયા એમ એજન્‍સી દ્વારા તા.15-05-2017નાં રોજ કામ શરૂઆત કર્યું હતું.
વલસાડ એસ.ટી ડેપોનાં વિભાગીય બાંધકામ ઈજનેર અને મે.સાવલિયા એમ એજન્‍સીનાં સંચાલકોની બેદરકારીથી છેલ્લા છ વર્ષથી મંદગતિએ કામ ચાલી રહ્યું છે. વલસાડ ડેપોમાં રોજબરોજ હજ્‍જારો મુસાફરો આવે છે. ડેપોમાં હાલ કોઈપણ પ્રકારની સુવિધા જ નથી. કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ડેપોનું બિલ્‍ડીંગ હાલ તૈયાર કર્યું છે. બાંકડા ગોઠવવામાં આવ્‍યાં છે, દુકાનો અને ઓફિસો તૈયાર છે, વલસાડ વિભાગીય એસ.ટી. વિભાગ હજુ મુસાફરો માટે ડેપો ખુલ્લો મુકવામાં આવેલ નથી. જેનાં કારણે મુસાફરો એક નાના શેડમાં કન્‍ટ્રોલરનીઓફિસની બાજુમાં બે-ત્રણ મીટરની જગ્‍યામાં સાત બાંકડામાં મુસાફરો બેસે છે.
95 ટકા મુસાફરોએ ફરજિયાત એસ.ટી બસો માટે બનાવેલ પ્‍લેટફોર્મ પર જીવનાં જોખમે ઊભું રહેવું પડે છે. પાણીનાં પરબ નહી હોવાથી મુસાફરોએ પાણી વેચાતું લેવા માટે રૂપિયા ખર્ચ કરવો પડે જે શૌચાલય છે તે જુનું – જર્જરિત હોવાં છતાં મજબુરીનાં કારણે તેનો ઊપયોગ કરવો પડે છે. કેટલાક મુસાફરો ખુલ્લામાં શૌચ કરવાં માટે જવું પડે છે. આમ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવી હોવાં છતાં વલસાડ એસ.ટી ડેપો પર આવતાં મુસાફરોને ડેપોની સુવિધા મળી શકી નથી અને હાલ મંથરગતિએ કામ ચાલી રહ્યું છે જેના જવાબદાર કોણ?
વલસાડ ડેપોની સમસ્‍યા બાબતે જિલ્લાનાં મંત્રીઓ, કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ઊપરીઅધિકારી યોગ્‍ય કાર્યવાહી કરાવે તેવી મુસાફરોની માંગ છે.

વલસાડ ઈન્‍ચાર્જ ડેપો મેનેજર અંજનાબેન ગામિતએ જણાવ્‍યું હતું કે, મેં હજુ અઠવાડિયા પહેલાં જ ચાર્જ લીધો છે, ક્‍યારે ડેપોનું બિલ્‍ડીંગ સોંપવામાં આવશે તે બાબતે મને જાણ નથી.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

vartmanpravah

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

Leave a Comment