December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: વંકાલ ગામના વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવના તળિયામાંથી નાંખવામાં આવેલ આરસીસી પાઈપમાંથી વરસાદનુંસંગ્રહ થયેલ પાણી વહી રહ્યું હતું. અને તળાવ ખાલી થવા માંડતા ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતના સ્‍થાનિકો દ્વારા આ નકામું વહી જતું પાણી અટકાવવામાં અને તળિયામાં આરસીસીના પાઈપ નાખી કોના દ્વારા પાણીનો નિકાલ કરવાનું તળાવ ખાલી રાખવાનું પ્રયોજન કરાયું હતું. તેની તપાસની માંગ કરતા જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ મામલતદાર સહિતનાઓએ ગતરોજ સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન જીસીબી દ્વારા માટી પુરાણ કરી તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવ્‍યું હતું. જેને પગલે સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી છે. બીજી તરફ આજરોજ અંબિકા સબ ડિવિઝન અને જિલ્લા પંચાયત સિંચાઈ અધિકારીઓ દ્વારા સ્‍થળ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી અહેવાલ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.
જોકે તળાવમાંથી પાણી વહેતું બંધ કરી દેવાની ફરજ પડી છે ત્‍યારે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થાય અને ચોમાસા બાદ જલ્‍દી સુકાઈ જાય અને માટી ઉલેચી શકાય તેવી ફિરાકમાં રહેનારાઓની આશા પર પાણી ફરી વળ્‍યું હોવાની ચર્ચા એ જોર પકડ્‍યું છે. જોકે આ તળાવ સરકારી હોય તેવા સંજોગોમાં પાણીનો વ્‍યય થતો અટકાવવામાં જવાબદારો સામે તંત્ર દ્વારાકાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

વંકાલના પૂર્વ સરપંચ વાસંતીબેન પટેલના જણાવ્‍યાનુસાર તળાવમાંથી પાણી વહી જવાની બાબતે તટસ્‍થ તપાસ ન થાય અને આ પાણીના ગેરકાયદેસર રીતે નિકાલ માટે જવાબદાર સામે પગલાં ન લેવાશે તો અમો વડી અદાલતના દ્વાર ખખડાવીશું.

પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના જણાવ્‍યાનુસાર વંકાલ તળાવની બાબતે આજે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્‍થળ મુલાકાત કરી છે. ત્‍યારે તેઓનો રિપોર્ટ આવ્‍યા બાદ હકીકત ખબર પડશે.

Related posts

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ હેઠળ: દાનહ અને દમણ-દીવની જિલ્લા હોસ્‍પિટલ અને ઉપ જિલ્લા હોસ્‍પિટલે રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

Leave a Comment