April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: વંકાલ ગામના વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવના તળિયામાંથી નાંખવામાં આવેલ આરસીસી પાઈપમાંથી વરસાદનુંસંગ્રહ થયેલ પાણી વહી રહ્યું હતું. અને તળાવ ખાલી થવા માંડતા ગામના પૂર્વ સરપંચ વાસંતીબેન ઉપરાંત દીપકભાઈ સહિતના સ્‍થાનિકો દ્વારા આ નકામું વહી જતું પાણી અટકાવવામાં અને તળિયામાં આરસીસીના પાઈપ નાખી કોના દ્વારા પાણીનો નિકાલ કરવાનું તળાવ ખાલી રાખવાનું પ્રયોજન કરાયું હતું. તેની તપાસની માંગ કરતા જિલ્લા કલેકટરના આદેશ બાદ ટીડીઓ મામલતદાર સહિતનાઓએ ગતરોજ સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન જીસીબી દ્વારા માટી પુરાણ કરી તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવ્‍યું હતું. જેને પગલે સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી છે. બીજી તરફ આજરોજ અંબિકા સબ ડિવિઝન અને જિલ્લા પંચાયત સિંચાઈ અધિકારીઓ દ્વારા સ્‍થળ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી અહેવાલ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.
જોકે તળાવમાંથી પાણી વહેતું બંધ કરી દેવાની ફરજ પડી છે ત્‍યારે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થાય અને ચોમાસા બાદ જલ્‍દી સુકાઈ જાય અને માટી ઉલેચી શકાય તેવી ફિરાકમાં રહેનારાઓની આશા પર પાણી ફરી વળ્‍યું હોવાની ચર્ચા એ જોર પકડ્‍યું છે. જોકે આ તળાવ સરકારી હોય તેવા સંજોગોમાં પાણીનો વ્‍યય થતો અટકાવવામાં જવાબદારો સામે તંત્ર દ્વારાકાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.

વંકાલના પૂર્વ સરપંચ વાસંતીબેન પટેલના જણાવ્‍યાનુસાર તળાવમાંથી પાણી વહી જવાની બાબતે તટસ્‍થ તપાસ ન થાય અને આ પાણીના ગેરકાયદેસર રીતે નિકાલ માટે જવાબદાર સામે પગલાં ન લેવાશે તો અમો વડી અદાલતના દ્વાર ખખડાવીશું.

પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના જણાવ્‍યાનુસાર વંકાલ તળાવની બાબતે આજે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્‍થળ મુલાકાત કરી છે. ત્‍યારે તેઓનો રિપોર્ટ આવ્‍યા બાદ હકીકત ખબર પડશે.

Related posts

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્‍ડર ફક્‍ત સામાજિક-સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્‍થાનિક જનતાના સરકારની પહેલના સમર્થનનું પણ માધ્‍યમઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

vartmanpravah

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment