September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ: ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પતિજ્ઞા પણ લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં ”મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારે વલસાડ જિલ્લામાં બીજા તબક્કામાં ગુરૂવારે ૧૩૨ ગામમાં અને આજે શુક્રવારે ૧૧૨ ગામમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં યોજાયો હતો.
જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના આગેવાનોના હસ્તે શિલાફલકમનું વંદન કરાયું હતુ. આ તકે સરપંચે વીરોને અંજલી આપી તેઓના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.
ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ પંચાયત ખાતે આયોજિત મારી માટી, મારો દેશ કાર્યક્રમ અન્વયે BSFમાં ૨૧ વર્ષ દેશના પૂર્વોતર રાજ્ય એવા મણીપુરથી લઇ જમ્મુ કશ્મીર, પંજાબ, રાજસ્થાન ખાતે સેવા આપી નિવૃત્ત થયેલા અર્જુનભાઈ વારલી (Rtd. Instructor, BSF) નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ તથા દેશના વિરોની શહાદતનું સ્મરણ કરી કાર્યક્રમ સફળતાં પૂર્વક પૂર્ણ થયો હતો.
વલસાડ તાલુકાના શંકર તળાવ અને ઉમરગામ તાલુકાના કલગામમાં પણ ગામના આગેવાન સભ્યો અને અધિકારીશ્રીઓ, વિસ્તારનાં આગેવાનો સહિતના લોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઇને વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Related posts

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપરથી ગૌતસ્‍કરીમાં વપરાયેલી બિનવારસી કાર મળી આવી

vartmanpravah

કચીગામના સરપંચ ભરતભાઈ પટેલે ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિરોગી જીવન અને દીર્ઘાયુની કરેલી કામના

vartmanpravah

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment