Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ: ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પતિજ્ઞા પણ લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં ”મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારે વલસાડ જિલ્લામાં બીજા તબક્કામાં ગુરૂવારે ૧૩૨ ગામમાં અને આજે શુક્રવારે ૧૧૨ ગામમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં યોજાયો હતો.
જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના આગેવાનોના હસ્તે શિલાફલકમનું વંદન કરાયું હતુ. આ તકે સરપંચે વીરોને અંજલી આપી તેઓના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.
ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ પંચાયત ખાતે આયોજિત મારી માટી, મારો દેશ કાર્યક્રમ અન્વયે BSFમાં ૨૧ વર્ષ દેશના પૂર્વોતર રાજ્ય એવા મણીપુરથી લઇ જમ્મુ કશ્મીર, પંજાબ, રાજસ્થાન ખાતે સેવા આપી નિવૃત્ત થયેલા અર્જુનભાઈ વારલી (Rtd. Instructor, BSF) નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ તથા દેશના વિરોની શહાદતનું સ્મરણ કરી કાર્યક્રમ સફળતાં પૂર્વક પૂર્ણ થયો હતો.
વલસાડ તાલુકાના શંકર તળાવ અને ઉમરગામ તાલુકાના કલગામમાં પણ ગામના આગેવાન સભ્યો અને અધિકારીશ્રીઓ, વિસ્તારનાં આગેવાનો સહિતના લોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઇને વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપી નોટિફાઈડ મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment