April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ: ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પતિજ્ઞા પણ લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં ”મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારે વલસાડ જિલ્લામાં બીજા તબક્કામાં ગુરૂવારે ૧૩૨ ગામમાં અને આજે શુક્રવારે ૧૧૨ ગામમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં યોજાયો હતો.
જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતના આગેવાનોના હસ્તે શિલાફલકમનું વંદન કરાયું હતુ. આ તકે સરપંચે વીરોને અંજલી આપી તેઓના બલિદાન તથા દેશસેવાને બિરદાવાઈ હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી.
ઉમરગામ તાલુકાના ભીલાડ ગ્રામ પંચાયત ખાતે આયોજિત મારી માટી, મારો દેશ કાર્યક્રમ અન્વયે BSFમાં ૨૧ વર્ષ દેશના પૂર્વોતર રાજ્ય એવા મણીપુરથી લઇ જમ્મુ કશ્મીર, પંજાબ, રાજસ્થાન ખાતે સેવા આપી નિવૃત્ત થયેલા અર્જુનભાઈ વારલી (Rtd. Instructor, BSF) નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે પંચ પ્રણ પ્રતિજ્ઞા અને વૃક્ષારોપણ તથા દેશના વિરોની શહાદતનું સ્મરણ કરી કાર્યક્રમ સફળતાં પૂર્વક પૂર્ણ થયો હતો.
વલસાડ તાલુકાના શંકર તળાવ અને ઉમરગામ તાલુકાના કલગામમાં પણ ગામના આગેવાન સભ્યો અને અધિકારીશ્રીઓ, વિસ્તારનાં આગેવાનો સહિતના લોકોએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઇને વૃક્ષારોપણ કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના બાળકોએ વોલ પેઇન્‍ટિંગ વડે જાગૃતિ સંદેશ પહોંચાડ્‍યો

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

Leave a Comment