April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

સરીગામ જીઆઈડીસી અને સરીગામ પંચાયત હદમાં કાર્યરત એકમોમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનોને બજાર માર્ગ ઉપર આવતા અટકાવવા પંચાયતે પસાર કરેલો ઠરાવ અને પોલીસ તંત્રની માંગેલી મદદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: સરીગામ બજાર અને રહેઠાણ વિસ્‍તારના માર્ગ ઉપર વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માતની શકયતા નિર્માણ થવા પામી છે. જેનું મુખ્‍ય કારણ સરીગામ બાયપાસ માર્ગ ખખડધજ બનતા જીઆઈડીસીમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનો સરીગામ બજાર વિસ્‍તારમાંથી પસાર થઈ રહ્યા છે. સરીગામ જીઆઈડીસીના ઘણા બદમાશ એકમોએ આંતરિક રસ્‍તા પાર્કિંગ માટે કબજા કરેલા છે અને પોલીસ તંત્ર એમનું બગાડી શકતી નથી. જે લાગવગનો લાભ સરીગામના રહેઠાણ વિસ્‍તારમાંથી પસાર થતા માર્ગ ઉપર પણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે કન્‍ટેનર અને ટેન્‍કર સહિતના ભારેખમ વાહનો સરીગામ રહેઠાણ વિસ્‍તારમાં પ્રવેશતા વારંવાર ટ્રાફિકની સમસ્‍યા સર્જાઈ રહી છે અને અકસ્‍માતની શકયતા સામે આવી રહી છે. આ સર્જાયેલી સમસ્‍યા સામે રક્ષણ આપવા સરીગામ પંચાયતે એક ઠરાવ પસાર કરી ભારેખમ વાહનો ઉપર પ્રતિબંધ મૂકયો છે અને જબરજસ્‍તી પ્રવેશતા વાહનો સામેદંડાત્‍મક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આ ઠરાવની જાણકારી સરીગામ પંચાયતે ભીલાડ પોલીસ તંત્ર અને એસઆઈએને કરી છે તેમજ સરીગામ હદ વિસ્‍તારમાં કાર્યરત એકમના સંચાલકને પણ કરવામાં આવી છે. સરીગામ બજાર વિસ્‍તાર માર્ગ ઉપર કાર્યરત શાળાઓ, બેંક વગેરે જોતા રાહદારી અને નાના વાહનોથી ભરચક હોય છે ત્‍યારે જીઆઈડીસીના ભારેખમ વાહનોની અવરજવર ઉપર અંકુશ મુકવો અત્‍યંત જરૂરી જણાઈ રહ્યું છે. આ સમસ્‍યાના નિવારણ માટે પોલીસ તંત્ર ધ્‍યાન આપે એવી પ્રજામાં પણ પ્રબળ માંગ છે.

Related posts

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

ધરમપુરના બીલપુડીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

Leave a Comment