April 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

સરીગામ જીઆઈડીસી અને સરીગામ પંચાયત હદમાં કાર્યરત એકમોમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનોને બજાર માર્ગ ઉપર આવતા અટકાવવા પંચાયતે પસાર કરેલો ઠરાવ અને પોલીસ તંત્રની માંગેલી મદદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.17: સરીગામ બજાર અને રહેઠાણ વિસ્‍તારના માર્ગ ઉપર વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્‍યા અને અકસ્‍માતની શકયતા નિર્માણ થવા પામી છે. જેનું મુખ્‍ય કારણ સરીગામ બાયપાસ માર્ગ ખખડધજ બનતા જીઆઈડીસીમાંથી અવરજવર કરતા ભારેખમ વાહનો સરીગામ બજાર વિસ્‍તારમાંથી પસાર થઈ રહ્યા છે. સરીગામ જીઆઈડીસીના ઘણા બદમાશ એકમોએ આંતરિક રસ્‍તા પાર્કિંગ માટે કબજા કરેલા છે અને પોલીસ તંત્ર એમનું બગાડી શકતી નથી. જે લાગવગનો લાભ સરીગામના રહેઠાણ વિસ્‍તારમાંથી પસાર થતા માર્ગ ઉપર પણ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના કારણે કન્‍ટેનર અને ટેન્‍કર સહિતના ભારેખમ વાહનો સરીગામ રહેઠાણ વિસ્‍તારમાં પ્રવેશતા વારંવાર ટ્રાફિકની સમસ્‍યા સર્જાઈ રહી છે અને અકસ્‍માતની શકયતા સામે આવી રહી છે. આ સર્જાયેલી સમસ્‍યા સામે રક્ષણ આપવા સરીગામ પંચાયતે એક ઠરાવ પસાર કરી ભારેખમ વાહનો ઉપર પ્રતિબંધ મૂકયો છે અને જબરજસ્‍તી પ્રવેશતા વાહનો સામેદંડાત્‍મક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આ ઠરાવની જાણકારી સરીગામ પંચાયતે ભીલાડ પોલીસ તંત્ર અને એસઆઈએને કરી છે તેમજ સરીગામ હદ વિસ્‍તારમાં કાર્યરત એકમના સંચાલકને પણ કરવામાં આવી છે. સરીગામ બજાર વિસ્‍તાર માર્ગ ઉપર કાર્યરત શાળાઓ, બેંક વગેરે જોતા રાહદારી અને નાના વાહનોથી ભરચક હોય છે ત્‍યારે જીઆઈડીસીના ભારેખમ વાહનોની અવરજવર ઉપર અંકુશ મુકવો અત્‍યંત જરૂરી જણાઈ રહ્યું છે. આ સમસ્‍યાના નિવારણ માટે પોલીસ તંત્ર ધ્‍યાન આપે એવી પ્રજામાં પણ પ્રબળ માંગ છે.

Related posts

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની લક્ષદ્વીપ મુલાકાતના બીજા દિવસે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ‘લક’ને લાગેલા ચાર ચાંદઃ રૂા.1200 કરોડની વિવિધ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજન

vartmanpravah

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

Leave a Comment