Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: ચીખલી વાંસદા રાજય ધોરીમાર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વિજપોલ ન ખસેડાતા વાહન વ્‍યવહારમાં અવરોધ સાથે અકસ્‍માતની ભીતિ સેવાઈ રહી છે.
ચીખલી વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર ખાસ કરીને ચીખલી હાઈવે ચાર રસ્‍તાથી રાનકુુવા સુધીની લંબાઈના ટ્રાફિક ભારણ વધુ રહે છે. અને હાઈવે ચાર રસ્‍તાથી કોલેજ સર્કલ વચ્‍ચે તો પિક અવર્સમાં અન્‍ય વાહન ચાલકોને મુશ્‍કેલી ન સર્જાઈ અને ટ્રાફિકજામ ન થાય તે માટે ભારે વાહનોની અવર-જવર પર પણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
આ પ્રકારની સ્‍થિતિમાં આ માર્ગ ઉપર થાલા બગલાદેવ સર્કલથી આગળ કોલેજ તરફ જતા બે જેટલા વિજપોલ વાહન વ્‍યવહારમાં અવરોધરૂપ છે. આ નડતરરૂપ વિજપોલના કારણે આ સ્‍થળે માર્ગની પહોળાઈ પણ પૂરતી નથી જેને લઈને ઘણીવાર આ વિસ્‍તારમાં ઘણીવાર ટ્રાફિક જામની પણ સમસ્‍યા સર્જાતી હોય છે. અને ઘણીવાર નાના મોટા અકસ્‍માતો પણ સર્જાતા હોય છે. અને વાહન ચાલકોમાં સતત અકસ્‍માતનો ભય રહેતો હોય છે.
ઉપરોક્‍ત સંજોગોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વીજ કંપની સાથે જરૂરી સંકલન સાધી આ નડતરરૂપ વિજપોલો ખસેડવાની તજવીજ હાથ ધરે તે જરૂરી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા અગાઉ લાખો રૂપિયાના ખર્ચે માર્ગનું વિસ્‍તુતિકરણ કરવામાંઆવ્‍યં હતું. અને ડિવાઈડર પણ બનાવવામાં આવી હતી. પરંતુ આવા નડતરરૂપ વિજપોલો ન ખસેડાતા માર્ગના વિસ્‍તુતિકરણનો પણ મતલબ રહેતો નથી અને વાહન ચાલકોની સમસ્‍યા દૂર થતી નથી. ત્‍યારે માર્ગ મકાન વિભાગ દ્વારા સત્‍વરે આ નડતરરૂપ વિજપોલો ખસેડવાની કાર્યવાહી કરે તે જરૂરી છે.
માર્ગ મકાન ચીખલીના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર થાલા બગલાદેવ આગળ કોલેજ રોડ ઉપર નડતરરૂપ વિજપોલ ખસેડવા માટે વીજ કંપનીમાં નાણાંની પણ ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ વીજ કંપની દ્વારા જગ્‍યાના અભાવે ખસેડી શકાય તેમ ન હોવાનો જવાબ રજૂ કરેલ છે. ત્‍યારે હવે કોઈ બીજો વિકલ્‍પ ચકાસવા પડશે.

Related posts

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ પ્રેમિકાની હત્‍યાનો પ્રયાસ કરવા બદલ પ્રેમી દોષિત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

Leave a Comment