March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા યોજાયો મફત નોટબૂક વિતરણ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માનનો સમારંભ

મોદી સરકારના શાસનકાળ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ-મોજાંથી લઈ નોટબૂક અને પાઠયપુસ્‍તકો મફતમાં આપવામાં આવે છે અને તે પણ ઉમ્‍મીદથી વધારે મળે છે તેથી મફત નોટબૂક વિતરણના તાયફા કરવાની જગ્‍યાએ સમાજને વધુ ઉપયોગી થાયતેવા કામો કરવા દમણવાડાના સરપંચ મુકેશ ગોસાવીએ મંડળના સંચાલકોને આપેલી સલાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : છેલ્લા 60 વર્ષથી કાર્યરત અને રજીસ્‍ટર્ડ શ્રી દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા ગત રવિવારે દમણ વરકુંડ ખાતે આવેલ સરકારી પોલીટેક્‍નિક કોલેજના એક વર્ગખંડમાં લોંગ નોટબૂક વિતરણ તથા તેજસ્‍વી વિદ્યાર્થીઓના સત્‍કાર સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી વર્ષિકાબેન પટેલ તથા જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મીટનાની પણ પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.
આ પ્રસંગે શ્રી દમણ વિજય માહ્યાવંશી મંડળના અધ્‍યક્ષ અને ટીવી અને રંગમંચના કલાકાર શ્રી ભગુભાઈ રામજીભાઈ પટેલે શ્રી દમણ વિજય માહ્યાવંશી મંડળની 1964માં થયેલ સ્‍થાપનાથી લઈ અત્‍યાર સુધી સર કરેલા વિવિધ પડાવોની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી વર્ષિકાબેન પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિક્ષણના કારણે જ આજે માહ્યાવંશી સમાજ મોખરાનું સ્‍થાન ધરાવે છે. તેમણે જણાવ્‍યું હતું કે, તેમની રાજકીય સફરમાં પણમાહ્યાવંશી સમાજનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ મંડળના સંચાલકોનું ધ્‍યાન દોરતા ખાસ જણાવ્‍યું હતું કે, હવે મોદી સરકારના શાસનકાળ દરમિયાન વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બૂટ-મોજાંથી લઈ નોટબૂક અને પાઠયપુસ્‍તકો મફતમાં આપવામાં આવે છે અને તે પણ ઉમ્‍મીદથી વધારે મળે છે. તેથી મફત નોટબૂક વિતરણના તાયફા કરવાની જગ્‍યાએ સમાજને વધુ ઉપયોગી થાય તેવા કામો કરવા સલાહ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ગરીબ સમાજની પ્રગતિ માટે શિક્ષણ જ એક માત્ર સાધન છે જે ગરીબી દૂર કરી શકે છે. તેમણે શિક્ષણમાં પણ એક્‍સપર્ટાઈઝ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના અધ્‍યક્ષ શ્રી ભગુભાઈ રવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં મંડળના મહામંત્રી શ્રી દિનેશભાઈ મિષાી, શ્રી પ્રમોદભાઈ એન. દમણિયા, શ્રી પ્રતિકભાઈ એન. દમણિયા વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે દમણ વિદ્યુત વિભાગના નિવૃત્ત સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ એન. દમણિયા, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી રમેશભાઈ દાબુલકર, શ્રી ભરતભાઈ, દમણના નિવૃત્ત પી.એસ.આઈ. શ્રી હિરાલાલ ભક્‍તિ સહિત વિદ્યાર્થીઓ અને આગેવાનોઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah

દાનહઃ મસાટની એક કંપનીમાં કામ કરતા યુવાને રખોલી પુલ પરથી કુદી આત્‍મહત્‍યાનો કરેલો પ્રયાસઃ બ્રિજ ઉપર બંને બાજુ લોખંડની જાળી લગાવવાની માંગ તંત્રના કાને સંભળાતી નથી

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

કોરોનાના પ્રવેશને રોકવા સંઘપ્રદેશની હોસ્‍પિટલોમાં યોજાઈ મોકડ્રિલઃ ઈમરજન્‍સી ચિકિત્‍સા સંસાધનોનું કરવામાં આવ્‍યું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment