(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ નવી જીઆઈડીસી વિસ્તારની અલખનંદા બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી ગયેલા ત્રણ વર્ષના બાળકનું ગંભીર ઈજાના કારણે મોત થયાની દુઃખદ ઘટના બનવા પામી છે. ઘટના સ્થળેથી મળતી વિગત મુજબ બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું તે સમયે બાળકની માતા ઘરકામમાં વ્યસ્ત હતી તે દરમિયાન બાળક ગેલેરીની ગ્રીલ ઉપર ધીરે ધીરે ચડી ગયું હતું અને બેલેન્સ ચૂકી જતા જમીન ઉપર પટકાયુ હતું. બાળકને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું. આ ઘટનાના પગલે આજુબાજુ વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.