October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના તાવના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેના કારણે પ્રદેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ રાજપુત જેઓ પોતે અને એમનો પરિવાર પણ ડેંગ્‍યુ તાવની ચપેટમાં આવી ગયા હતા. વિક્રમસિંહ રાજપુતની સારવાર સેલવાસની એક ખાનગી હોસ્‍પિટલમાં ચાલી રહી હતી. ત્‍યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેઓ તેમની પત્‍નીને સાથે લઈ એમના મુળ વતન રાજસ્‍થાનના રાજસમંદ જિલ્લાના અરણિયા ગામમાં એમની માતા રહે છે ત્‍યાં ગયા હતો જયાં વિક્રમસિંહ રાજપુતની તબિયત પાછી વધુ બગડતા શુક્રવારના રોજ મોડી રાત્રે એમનું નિધન થયું હતું.
મુળ રાજસ્‍થાનના અને ધંધાર્થે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રહેતા યુવાનના મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસી રાજસ્‍થાની સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું દમણના શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર સુરતના બે મિત્રોની બાઈક પાર્ક કરેલી ટ્રક સાથે ભટકાતા અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દાનહ અને દમણ-દીવની રાષ્ટ્રીય સ્તરે મળેલી ઍક વધુ સિદ્વિ

vartmanpravah

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

vartmanpravah

Leave a Comment