December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના તાવના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેના કારણે પ્રદેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ રાજપુત જેઓ પોતે અને એમનો પરિવાર પણ ડેંગ્‍યુ તાવની ચપેટમાં આવી ગયા હતા. વિક્રમસિંહ રાજપુતની સારવાર સેલવાસની એક ખાનગી હોસ્‍પિટલમાં ચાલી રહી હતી. ત્‍યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેઓ તેમની પત્‍નીને સાથે લઈ એમના મુળ વતન રાજસ્‍થાનના રાજસમંદ જિલ્લાના અરણિયા ગામમાં એમની માતા રહે છે ત્‍યાં ગયા હતો જયાં વિક્રમસિંહ રાજપુતની તબિયત પાછી વધુ બગડતા શુક્રવારના રોજ મોડી રાત્રે એમનું નિધન થયું હતું.
મુળ રાજસ્‍થાનના અને ધંધાર્થે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રહેતા યુવાનના મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસી રાજસ્‍થાની સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment