April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્‍યાન ખખડધજ અને જર્જરિત બનેલા રસ્‍તાઓના સમારકામની શરૂઆત કરવામાં આવી છે.
ગત ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્‍તાઓ ઉપરનો ડામર ઉખડી ગયો હતો અને મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. જેનાથી રસ્‍તાઓની હાલત અત્‍યંત બિસ્‍માર બની જવા પામી હતી.
ખખડધજ રસ્‍તાઓના કારણે પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો હતો. હવે વરસાદની સિઝન પૂર્ણ થયા થયા બાદ સંઘપ્રદેશ પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના એવા રીંગરોડ સહિત સેલવાસ તથા તેની આજુબાજુના વિસ્‍તારના રસ્‍તાઓના સમારકામનો આરંભ કરી દેવામાં આવ્‍યો છે. જેના કારણે હવે વાહનચાલકોને રસ્‍તા પરના ખાડાથી રાહત મળશે એવી લાગણી પ્રવર્તી રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે કન્‍ટેનરની અડફેટે આવેલ બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્‍યું

vartmanpravah

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

દમણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ‘વિદ્યાર્થી હુંકાર’ સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

Leave a Comment