Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્‍યાન ખખડધજ અને જર્જરિત બનેલા રસ્‍તાઓના સમારકામની શરૂઆત કરવામાં આવી છે.
ગત ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્‍તાઓ ઉપરનો ડામર ઉખડી ગયો હતો અને મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. જેનાથી રસ્‍તાઓની હાલત અત્‍યંત બિસ્‍માર બની જવા પામી હતી.
ખખડધજ રસ્‍તાઓના કારણે પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો હતો. હવે વરસાદની સિઝન પૂર્ણ થયા થયા બાદ સંઘપ્રદેશ પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના એવા રીંગરોડ સહિત સેલવાસ તથા તેની આજુબાજુના વિસ્‍તારના રસ્‍તાઓના સમારકામનો આરંભ કરી દેવામાં આવ્‍યો છે. જેના કારણે હવે વાહનચાલકોને રસ્‍તા પરના ખાડાથી રાહત મળશે એવી લાગણી પ્રવર્તી રહી છે.

Related posts

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment