Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્‍યાન ખખડધજ અને જર્જરિત બનેલા રસ્‍તાઓના સમારકામની શરૂઆત કરવામાં આવી છે.
ગત ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્‍તાઓ ઉપરનો ડામર ઉખડી ગયો હતો અને મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. જેનાથી રસ્‍તાઓની હાલત અત્‍યંત બિસ્‍માર બની જવા પામી હતી.
ખખડધજ રસ્‍તાઓના કારણે પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો હતો. હવે વરસાદની સિઝન પૂર્ણ થયા થયા બાદ સંઘપ્રદેશ પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના એવા રીંગરોડ સહિત સેલવાસ તથા તેની આજુબાજુના વિસ્‍તારના રસ્‍તાઓના સમારકામનો આરંભ કરી દેવામાં આવ્‍યો છે. જેના કારણે હવે વાહનચાલકોને રસ્‍તા પરના ખાડાથી રાહત મળશે એવી લાગણી પ્રવર્તી રહી છે.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

કેન્‍દ્રની મોદી સરકાર પ્રદેશના આદિવાસીઓના વિકાસમાટે સમર્પિતઃ દીપેશ ટંડેલ

vartmanpravah

Leave a Comment