Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્‍યાન ખખડધજ અને જર્જરિત બનેલા રસ્‍તાઓના સમારકામની શરૂઆત કરવામાં આવી છે.
ગત ચોમાસા દરમિયાન મોટાભાગના રસ્‍તાઓ ઉપરનો ડામર ઉખડી ગયો હતો અને મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા. જેનાથી રસ્‍તાઓની હાલત અત્‍યંત બિસ્‍માર બની જવા પામી હતી.
ખખડધજ રસ્‍તાઓના કારણે પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો હતો. હવે વરસાદની સિઝન પૂર્ણ થયા થયા બાદ સંઘપ્રદેશ પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના એવા રીંગરોડ સહિત સેલવાસ તથા તેની આજુબાજુના વિસ્‍તારના રસ્‍તાઓના સમારકામનો આરંભ કરી દેવામાં આવ્‍યો છે. જેના કારણે હવે વાહનચાલકોને રસ્‍તા પરના ખાડાથી રાહત મળશે એવી લાગણી પ્રવર્તી રહી છે.

Related posts

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

સેલવાસના બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલ સામે ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાઈઃ આદિવાસીના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈ જમીન પચાવી પાડવાનો કારસો

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

વલસાડ ખાતે પંચાયત ગ્રામ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૨૬ લાખના ૧૫૪ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૧૪ લાખના ૪૯ કામોનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment