(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: ગાંધીજી અને શાષાી જયંતિ નિમિત્તે લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના પ્રાંગણમાં ‘સ્વચ્છતા હી સેવા-કચરા મુક્ત ભારત’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણ, કારોબારી સભ્યો, શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ, હવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના વાઇસ પ્રિન્સિપાલ, લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ શ્રીમતી નિરાલી પારેખ, લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ અને કોલેજના શિક્ષકો અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભ અવસરે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી અને દેશના શ્રેષ્ઠ પ્રધાનમંત્રી લાલબહાદુર શાષાીજીના જીવન પર આધારિત ખૂબ જ સુંદર કળતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતા સેવામાં ઉત્કળષ્ટ ભૂમિકા ભજવનાર શાળાના મહિલા કર્મચારીઓનું પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ શુભ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા અધ્યક્ષ શ્રી ફતેહસિંહ ચૌહાણે ગાંધીજી અને શાષાીજીના જીવનની મહત્વની હકીકતો વિશે માહિતી આપતા જણાવ્યું હતું, કે ‘સત્ય ક્યારેય હારતું નથી, હા સત્ય મુશ્કેલીમાં મુકાઈ શકે છે પરંતુ સત્ય સત્ય છે, વિજયી છે.’ અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલના ચેરમેનશ્રી, કારોબારીના સભ્યો અને લાયન્સ પરિવારના તમામ સભ્યો તથા વિદ્યાર્થીઓએ શાળાની સ્વચ્છતા કાર્યમાં ભાગ લીધો હતો. આ અવસરે 120 ભારત સ્કાઉટ ગાઈડોએ સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શ્રમદાન કર્યુંહતું.