સરપંચ સુમિત માહ્યાવંશી અને વાપી એનિમલ રેસ્ક્યુ ટીમે અભિયાન હાથ ધર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના ઘણા ગામોમાં રખડતા જાનવરો લમ્પી વાયરસના સંક્રમણો વધી રહ્યા છે. જેનાથી ચર્મરોગ થાય છે, જાનવરના શરીરે ફોલ્લા થતા હોય છે. પરિણામે જાનવરની ઈમ્યુનિટી ઓછી થતા અશક્ત બની લાંબા ગાળે મૃત્યુ પામે છે તેથી આ મહામારીમાં બલીઠા વિસ્તારના જાનવરો ના સપડાય તેવા ઉમદા હેતુ રાખીને પંચાયત સરપંચ સ્મિત માહ્યાવંશી અને ટીમે જાનવરોને ડોક્ટરોએ સુચવેલ આયુર્વેદિક પેસ્ટ ખવડાવી હતી. આ અભિયાનમાં વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના કાર્યકરો પણ જોડાયા હતા.
રખડતા ઢોર લમ્પી વાયરસનો વિશેષ ભોગ બની રહ્યા છે. આ વાયરસની જાનવરોમાં ઈમ્યુનિટી ઓછી થાય છે. શરિરે ફોલ્લા પડે છે. હાઈફીવરનો ભેગ બને છે અને પરિણામે મૃત્યુ પણ પામે છે તેથી નિર્દોષ જાનવરો લમ્પી વાયરસનો ભોગ ના બને તે માટે બલીઠા પંચાયતના સરપંચ સુમિત માહ્યાવંશી અને ટીમ તથા વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહ, ધવલ ઠાકુર, રવિન્દ્ર ગુપ્તાએ બલીઠા વિસ્તારમાં ફરી રખડતા જાનવરોને ડોક્ટરોએ સુચવેલ આયુર્વેદિક પેસ્ટ ખવડાવી ઉપચાર કર્યો હતો. આ દવાની મદદથી પશુધન કમોતે મરતુ અટકાવી શકાશે.