February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત રાત્રી ચૌપાલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: આપણો દેશ સ્‍વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદીનો અમૃત મહોત્‍સવ’ મનાવી રહ્યો છે, જેના અંતર્ગત દાનહ અને દમણ-દીવપ્રશાસન પણ આ મહોત્‍સવને મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં પાલિકા સભ્‍યો, ચીફ ઓફીસર અને કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ રાત્રી ચૌપાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દરેક નગરવાસીઓને પોતપોતાના ઘરો, દુકાનો અને ઔદ્યોગિક એકમોમાં રાષ્ટ્રીય ધ્‍વજ ફરકાવવા આહ્‌વાન કરવામાં આવી રહ્યું છે. પાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, ચીફ ઓફિસર શ્રી મનોજકુમાર પાંડે અને વોર્ડ નંબર પાંચના સભ્‍ય શ્રી રજની શેટ્ટી દ્વારા પ્રમુખ ગાર્ડન અને પાર્ક સીટી સોસાયટીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાત્રી ચૌપાલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પાલિકા દ્વારા દરેક રહેવાસીઓને 13 થી 15 ઓગસ્‍ટ સુધી પોતાના ઘર પર રાષ્ટ્રીય ધ્‍વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી હતી અને સાથે સોસાયટીમાં દેશભક્‍તિ ગીતો વગાડવા, રંગોળી હરીફાઈનું આયોજન, ત્રણ રંગ એટલે કે કેસરિયો, સફેદ અને લીલા રંગના ફુગ્‍ગાઓ ફુલાવી અને દેશભક્‍તિથી જોડાયેલ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા પણ નિવેદન કરવામાં આવ્‍યું છે. દરેક સોસાયટીવાસીઓને આઝાદીના અમૃત મહોત્‍સવમાં ઉત્‍સાહભેર ભાગ લેવાનો વિશ્વાસ આપ્‍યો હતો.
સેલવાસ પાલિકા દરેકને એ પણ અપીલ કરે છેકે harghartiranga.com પર જઈ પીન એ ફલેગના અંતર્ગત પોતાના ઝંડાનું લોકેશન શેર કરી એનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરી શકે છે. સાથે અપલોડ સેલ્‍ફી વિથ ફલેગ અંતર્ગત પોતાની આસપાસ ઝંડા સાથે સેલ્‍ફી પણ અપલોડ કરી શકે છે.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah

Leave a Comment