January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુત્તમ વેતન ધારો લાગુ કર્યા અંગેની જાહેરાત નોટિફેક્‍શન દ્વારા કરી છે ત્‍યારથી પહેલા સેલવાસ અને દાદરાની કંપનીના કામદારોએ વિવિધ મુદ્દાઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા. બુધવારના રોજ રખોલી ગામે મધુબન ડેમ રોડ પર આવેલ બે કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. રખોલી ગામે આવેલ યુનિફી ટેક્‍સ્‍ટાઇલ પ્રાઇવેટ લીમીટેડ અને કાઈટેક ઇન્‍ડસ્‍ટ્રીઝ ઇન્‍ડીયા પ્રા. લિમિટેડ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. જેઓની માંગ છે કે કામ કરવા છતાં યોગ્‍ય સમયે યોગ્‍ય વળતર મળતુ નથી. વધુમાં દાનહ પ્રશાસન દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે એના હિસાબે અમને પણ પગારમળે એવી માંગ કરી છે. કંપની મેનેજર અને કોન્‍ટ્રાક્‍ટરને આ અંગે જણાવ્‍યું તો તેઓ જેણે નોકરી કરવી હોય એ આટલા જ પગારમાં નોકરી કરવી પડશે અને જેને વધારે પગાર જોઈતો હોય તો તેઓને નોકરીમાંથી કાઢી મુકવાની પણ ધમકી આપી હોવા બાબતે કામદારોએ હડતાળ પર ઉપરી વિરોધ પ્રદર્શન કર્યું છે. હડતાળ ઉતરેલા કર્મચારીઓનું જણાવવાનું કે, અમારા પ્રશ્ન અંગે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે અમે માંગ કરીએ છીએ.
હવે જોવું એ રહ્યું કે, પ્રશાસન દ્વારા શું પગલાં ભરવામાં આવે છે.

Related posts

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલયમાં બુધસભા દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment