Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુત્તમ વેતન ધારો લાગુ કર્યા અંગેની જાહેરાત નોટિફેક્‍શન દ્વારા કરી છે ત્‍યારથી પહેલા સેલવાસ અને દાદરાની કંપનીના કામદારોએ વિવિધ મુદ્દાઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા. બુધવારના રોજ રખોલી ગામે મધુબન ડેમ રોડ પર આવેલ બે કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. રખોલી ગામે આવેલ યુનિફી ટેક્‍સ્‍ટાઇલ પ્રાઇવેટ લીમીટેડ અને કાઈટેક ઇન્‍ડસ્‍ટ્રીઝ ઇન્‍ડીયા પ્રા. લિમિટેડ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. જેઓની માંગ છે કે કામ કરવા છતાં યોગ્‍ય સમયે યોગ્‍ય વળતર મળતુ નથી. વધુમાં દાનહ પ્રશાસન દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે એના હિસાબે અમને પણ પગારમળે એવી માંગ કરી છે. કંપની મેનેજર અને કોન્‍ટ્રાક્‍ટરને આ અંગે જણાવ્‍યું તો તેઓ જેણે નોકરી કરવી હોય એ આટલા જ પગારમાં નોકરી કરવી પડશે અને જેને વધારે પગાર જોઈતો હોય તો તેઓને નોકરીમાંથી કાઢી મુકવાની પણ ધમકી આપી હોવા બાબતે કામદારોએ હડતાળ પર ઉપરી વિરોધ પ્રદર્શન કર્યું છે. હડતાળ ઉતરેલા કર્મચારીઓનું જણાવવાનું કે, અમારા પ્રશ્ન અંગે પ્રશાસન દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે અમે માંગ કરીએ છીએ.
હવે જોવું એ રહ્યું કે, પ્રશાસન દ્વારા શું પગલાં ભરવામાં આવે છે.

Related posts

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

Leave a Comment