(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આજે ‘‘આયુષ્માન ભવઃ”ના પ્રદેશ સ્તરીય શુભારંભ સમારંભનું આયોજન દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે દાદરા નગર હવેલી જિલ્લામાં પણ સેલવાસ ખાતેના કલા કેન્દ્ર ઓડિટોરિયમ હોલમાં ‘‘આયુષ્યમાન ભવઃ” અભિયાનને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્યક્ષતામાંલોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ત્રણ પીએમજેએવાય લાભાર્થીઓ અને નિક્ષય મિત્રને કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આજે આ અભિયાનની મેડિકલ કોલેજ, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પર પણ શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, સંઘપ્રદેશ આરોગ્ય વિભાગના સલાહકાર ડો. વી. કે. દાસ, સેલવાસ અને ખાનવેલના નિવાસી નાયબ કલેક્ટરો, મુખ્ય મેડીકલ ઓફીસર સહિત પીએમજેએવાયના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.