December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસમાં જિલ્લા કલેક્‍ટરની ઉપસ્‍થિતિમાં ‘‘આયુષ્‍યમાન ભવઃ” અભિયાનની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વસ્‍થ ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં આજે ‘‘આયુષ્‍માન ભવઃ”ના પ્રદેશ સ્‍તરીય શુભારંભ સમારંભનું આયોજન દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. સાથે દાદરા નગર હવેલી જિલ્લામાં પણ સેલવાસ ખાતેના કલા કેન્‍દ્ર ઓડિટોરિયમ હોલમાં ‘‘આયુષ્‍યમાન ભવઃ” અભિયાનને મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાંલોન્‍ચ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે જિલ્લા ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ત્રણ પીએમજેએવાય લાભાર્થીઓ અને નિક્ષય મિત્રને કલેક્‍ટરશ્રીના હસ્‍તે પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા. આજે આ અભિયાનની મેડિકલ કોલેજ, પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર, કોમ્‍યુનીટી હેલ્‍થ સેન્‍ટર પર પણ શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, સંઘપ્રદેશ આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી. કે. દાસ, સેલવાસ અને ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરો, મુખ્‍ય મેડીકલ ઓફીસર સહિત પીએમજેએવાયના લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

Leave a Comment