(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: ગતરોજ તા.04.03.2023 ના શનિવારના રોજ 4.00 કલાકે ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન ગામના પ્રથમ નાગરિક ગામના સરપંચ શ્રીમતી વીણાબેન નરેન્દ્રભાઈ જોગરાના નેતૃત્વ હેઠળ કરાયું હતું.
પ્રાપ્તિ માહિતી મુજબ આજની ગ્રામ સભામાં ઈ-શ્રમ કાર્ડની માહિતી આપી. અને ગામના તમામ ગ્રામજનોને કાર્ડ બનાવવા માટે આગ્રહ કર્યો અને રાષ્ટ્રીય જળ અભિયાન જળ સપથ લઈને જળનો યોગ્ય ઉપયોગ કરવા માટે સમજૂતી આપી.
આજની ગ્રામ સભામાં જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારી, તલાટી કમ મંત્રી ચેતનભાઈ સરપંચ શ્રી વીણાબેન નરેન્દ્રભાઈ જોગરા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારી મહેન્દ્રભાઈ તથા ગામના આગેવાનો ભાઈઓ-બહેનો તથા યુવાનો હાજર રહ્યા હતા.