March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના રખોલી ગામ ખાતે રહેતા મુસ્‍લિમ પરિવારનો 10 વર્ષનો બાળક શાળામાં જવા નીકળેલ પણ શાળામાં નહીં પહોંચતા એના વાલીએ એમનું બાળક ગુમ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જુબેર આલમ (ઉ.વ.38) રહેવાસી-ઉંગનપાડા, રખોલી. જેઓના ત્રણ બાળકો છે જેમાં એક દીકરી અને બે દીકરાઓ છે. એમનો નાનો દીકરો અસરફ જુબેર આલમ (ઉ.વ.10) જે ગત 21મી નવેમ્‍બરના ગુરૂવારે એમના માતા-પિતા નોકરી પર જવા નીકળી ગયા બાદ શાળાએ જવા નીકળ્‍યો હતો. આ ત્રણે બાળકો રખોલી અંગ્રેજી માધ્‍યમની સરકારી શાળામાં ભણે છે. પરંતુ શાળામાંઅશરફ નહીં દેખાતા એની બહેને શાળાની આજુબાજુ તેમજ એમના ઘરની આજુબાજુ તપાસ કરવા છતાં નહીં મળી આવતાં તેણીએ એના પિતાને ફોન કરી જણાવેલ કે અશરફ ઘરે આવ્‍યો નથી અને આજુબાજુ તેમજ શાળામાં પણ શોધ કરી પણ મળી આવેલ નથી. જેથી જુબેર અને એની પત્‍ની કંપનીમાંથી રજા લઈ ઘરે આવ્‍યા હતા અને આજુબાજુ તેમજ સેલવાસ અને વાપી સુધી શોધખોળ કરી હતી પણ ક્‍યાંક ભાળી મળી ન હતી.
મળતી માહિતી પ્રમાણે આ અશરફ અગાઉ 09 નવેમ્‍બરના રોજ પણ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળી ગયો હતો. તેને વાપી પોલીસે શોધી અને પૂછપરછ બાદ દાદરા નગર હવેલીના સાયલી પોલીસને સોંપવામાં આવ્‍યો હતો અતે ત્‍યારબાદ સાયલી પોલીસે એમના વાલીને બોલાવી એમના બાળકને સોંપવામાં આવ્‍યો હતો. પરંતુ હવે ફરીથી ક્‍યાંક ગુમ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. ફરિયાદન આધારે સાયલી પોલીસે અપહરણનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના ધરાસણામાં અષાઢી બીજે ભારે પવનથી એક વિધવા મહિલાનું મકાન તૂટી પડ્‍યું: મહિલાનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

‘પુરુષાર્થમાં જ વ્‍યક્‍તિનું સાચું ભાગ્‍ય છૂપાયેલું છે, નહીં કે હસ્‍તરેખામાં’

vartmanpravah

Leave a Comment