April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.15: ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી ખાસ સામાન્‍ય સભામાં બાકી રહેલા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સ્‍પષ્ટ બહુમતી ધરાવતી ભાજપા શાસિત પાલિકામાં પ્રદેશના મેન્‍ડેડ મુજબ પ્રમુખ તરીકે શ્રી મનીષભાઈ રાય અને ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી જયશ્રીબેન માછીએ ઉમેદવારી રજૂ કરી હતી. જેમની સામે વિરોધ પક્ષમાંથી દાવેવારી ન નોંધાવતા બંને ઉમેદવારને ચૂંટણી નિરીક્ષક તરીકે ઉપસ્‍થિત રહેલા પ્રાંત અધિકારી શ્રી વસાવાએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. બિનહરીફ વિજેતા બનેલા બંને ઉમેદવારના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિત વધુ ત્રણ હોદ્દા ઉપર નિયુક્‍તિ માટે મેન્‍ડેડ મુજબ પક્ષના આગેવાનોએ ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કારોબારી અધ્‍યક્ષ તરીકે શ્રી અંકુશભાઈ કામળી, શાસક પક્ષના નેતા તરીકે શ્રી રાજાભાઈ ભરવાડ, અને દંડક તરીકે શ્રી કિરણભાઈ વારલીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના સ્‍થાનિક આગેવાન શ્રી ટીનુભાઈ બારી, શ્રીમતી જશુમતીબેન દાંડેકર વગેરેની ઉપસ્‍થિતિ જોવા મળીહતી.

Related posts

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah

સેલવાસની સુપર ઇલેક્‍ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

vartmanpravah

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment