March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ


સાચને કોઈ આંચ નહીં આવે તે રીતે સંઘપ્રદેશના વિકાસના ટીકાકાર રહેલા સાંસદ ઉમેશભાઈ પટેલને પણ કબૂલવું પડયું કે, દમણમાં રામસેતૂ અને નમો પથ સિવાય પ્રવાસીઓને જોવા માટે બીજું કંઈ નહીં હતું તેમાં પક્ષીઘરનો ઉમેરો થયો છે

પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણ-દીવ અને દાદરા નગર હવેલીની દશા અને દિશા બદલી નાખી હોવાનું હવે દરેકે માનવું પડે છે. કારણ કે, પ્રશાસકશ્રીની દીર્ઘદૃષ્‍ટિ અને પહેલના કારણે જ રામસેતૂ અને નમો પથનું નિર્માણ શક્‍ય બન્‍યું છે. તેમના કારણે જ ભારતનું સૌથી મોટું પક્ષીઘર મોટી દમણના જમ્‍પોર ખાતે બની શક્‍યું છે. દમણને જોડતા લગભગ તમામ માર્ગો વિશાળ બની ચુક્‍યા છે. આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ દમણમાં રામસેતૂ અને નમો પથ સિવાય બીજું કશું નહીં હતું તેમાં પક્ષીઘરનો ઉમેરો થતાં તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે એ કહેવાની ફરજ પડી છે.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પ્રવાસન ક્ષેત્રે અનેકગણો વિકાસ થયો છે. મોટી દમણના કિલ્લા ઉપર એક લટાર મારી આવો તો ખબર પડશે કે દમણની કેટલી સુંદરતા છે અને કેટલો રમણિય દરિયો છે..!આ પહેલાં દમણના કિલ્લાની હાલત અને સ્‍થિતિ કેવી હતી તેનું વર્ણન કરવું લગભગ અસંભવ છે. કારણ કે, તે વખતે કિલ્લાની ઉપર ફરવું એટલે મોતને હાથમાં લઈને ફરવા જેવી વાત હતી.
છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, શ્રી જે.પી.નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી શ્રી યોગી આદિત્‍ય નાથ, શ્રીમતી સ્‍મૃતિ ઈરાની સહિતના અનેક મહાનુભાવોએ દાદરા નગર હવેલી અને દમણ-દીવની અનેક વખત મુલાકાતો લીધી છે અને તેમાં આજે ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની મુલાકાતનો ઉમેરો થયો છે.
છેલ્લા આઠ વર્ષમાં જેટલા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થયા તેટલા તો પ્રદેશની આઝાદીના 63-70 વર્ષમાં પણ થયા નથી. આ પ્રભાવ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો છે અને જેમના ઉપર અમીનજર દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની હોવાથી જ પ્રદેશ માટે અસંભવ ગણાતા અનેક કામો સંભવ થયા છે. આ સનાતન સત્‍ય મારે, તમારે અને દરેકે સ્‍વીકારવું જ પડે એમાં કોઈ અતિશયોક્‍તિ નથી.

 

Related posts

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ સામાન્‍ય નાગરિકો માટે શ્રેષ્‍ઠ મિત્ર પણ અસામાજિક તત્ત્વો માટે કાળઃ એસ.પી. આર.પી. મીણા

vartmanpravah

Leave a Comment