January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીના પોકેટ ગાર્ડનો દુર્દશાગ્રસ્‍તઃ કંપનીઓ દ્વારા દત્તક લેવામાં આવેલા ગાર્ડનની સાર સંભાળ વિસરાઈ

અનેક પોકેટ ગાર્ડન વૃક્ષારોપણ કરીને વિકસાવાય છે પરંતુ આ ગાર્ડન પ્રજા માટે કોઈ ઉપયોગી થતા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં પર્યાવરણની જાળવણી માટે અનેકવાર વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાય છે. ફોટો સેશન થાય છે. જીઆઈડીસીમાં કોર્નર કે ખાંચાની જાહેર જમીનો ઉપર પોકેટ ગાર્ડન બનાવાની આવકાર્ય કામગીરી થઈ રહી છે. આવા પોકેટ ગાર્ડન બનાવાયા બાદ જે તે કંપનીઓ ગાર્ડન દત્તક લઈને ેતની સાર સંભાળ અને જાળવણીની જવાબદારી લેતી હોય છે પરંતુ થોડો સમય બાદ કંપની તેવી જવાબદારી વિસરી જતી હોય છે. પરિણામે એસ્‍ટેટના અનેક પોકેટ ગાર્ડન દુર્દશાગ્રસ્‍ત બની ચુકેલા નિહાળાઈ રહ્યા છે.
વી.આઈ.એ., વી.જી.ઈ.એલ., નોટિફાઈડ ઓથોરિટી, સહયોગી સંસ્‍થાઓ જી.પી.સી.બી., જી.આઈ.ડી.સી. સંયુક્‍ત પ્રયાસે વાપીના પર્યાવરણની જાળવણી માટે ઉમદા પ્રયાસો કરી રહેલ છે. વૃક્ષારોપણ અને પોકેટ ગાર્ડન એસ્‍ટેટમાં બનાવાયા છે. આવા પોકેટ ગાર્ડન જે તે કંપની દત્ત લેતી હોય છે. જેની જવાબદારી ઉછેરવાની અને જતન કરવાની કંપનીની હોય છે પરંતુ થોડા સમય બાદ પોકેટ ગાર્ડનોધૂળ ખાતા થઈ જતા હોય છે. તેનું શ્રેષ્‍ઠ ઉદાહરણ આવિક ફાર્માનો પોકેટ ગાર્ડન છે. બીજા પણ છે. ગો ગ્રીન સોસાયટીનું સુત્ર સાર્થક થતું જોવા નથી મળી રહ્યું. તેવી કડવી વાસ્‍તવિકતા પણ સપાટી ઉપર છે.

Related posts

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

Leave a Comment