(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સમરોલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્તાનું જંકશન કે જે વાહન વ્યવહારથી સતત ધમધમતું હોય છે ત્યારે ચાર રસ્તા પાસે બીલીમોરા તરફજતા માર્ગ ઉપર રસ્તાની સપાટી ઠેર ઠેર તૂટી જતા મસમોટા ખાડાઓ પડતા અવાર નવાર ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીનો પાર રહ્યો ન હતો.
બીજી તરફ માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરિટીનો વિસ્તાર હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી મરામત કરાતી ન હતી. જોકે જે અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન દ્વારા યોજના ધોરણે ખાડાઓ પૂરી માર્ગની મરામત કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી. વધુમાં આ માર્ગનો ખાડાગ્રસ્ત આ વિસ્તાર માર્ગની લંબાઈ ખરેખર હાઈવે ઓથોરિટી લાગે છે કે પછી માર્ગ મકાન વિભાગને તે નક્કી કરી ઘણા વર્ષથી ખો આપવાની નીતિરીતિ બંધ થાય અને સમયાંતરે મરામત સાથે માર્ગની જાળવણી થાય તે જરૂરી છે.