October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સમરોલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તાનું જંકશન કે જે વાહન વ્‍યવહારથી સતત ધમધમતું હોય છે ત્‍યારે ચાર રસ્‍તા પાસે બીલીમોરા તરફજતા માર્ગ ઉપર રસ્‍તાની સપાટી ઠેર ઠેર તૂટી જતા મસમોટા ખાડાઓ પડતા અવાર નવાર ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકોની મુશ્‍કેલીનો પાર રહ્યો ન હતો.
બીજી તરફ માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરિટીનો વિસ્‍તાર હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી મરામત કરાતી ન હતી. જોકે જે અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન દ્વારા યોજના ધોરણે ખાડાઓ પૂરી માર્ગની મરામત કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી. વધુમાં આ માર્ગનો ખાડાગ્રસ્‍ત આ વિસ્‍તાર માર્ગની લંબાઈ ખરેખર હાઈવે ઓથોરિટી લાગે છે કે પછી માર્ગ મકાન વિભાગને તે નક્કી કરી ઘણા વર્ષથી ખો આપવાની નીતિરીતિ બંધ થાય અને સમયાંતરે મરામત સાથે માર્ગની જાળવણી થાય તે જરૂરી છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડમાં થર્ડ મેન ઓફ મિસ્‍ટર વલસાડ બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં હિતેશ પટેલ ગોલ્‍ડ, કરણ ટંડેલ સિલ્‍વર મેડલ વિજેતા

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment