April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: સમરોલી હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તાનું જંકશન કે જે વાહન વ્‍યવહારથી સતત ધમધમતું હોય છે ત્‍યારે ચાર રસ્‍તા પાસે બીલીમોરા તરફજતા માર્ગ ઉપર રસ્‍તાની સપાટી ઠેર ઠેર તૂટી જતા મસમોટા ખાડાઓ પડતા અવાર નવાર ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકોની મુશ્‍કેલીનો પાર રહ્યો ન હતો.
બીજી તરફ માર્ગ મકાન દ્વારા હાઈવે ઓથોરિટીનો વિસ્‍તાર હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી મરામત કરાતી ન હતી. જોકે જે અંગેના અખબારી અહેવાલ બાદ માર્ગ મકાન દ્વારા યોજના ધોરણે ખાડાઓ પૂરી માર્ગની મરામત કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થવા પામી હતી. વધુમાં આ માર્ગનો ખાડાગ્રસ્‍ત આ વિસ્‍તાર માર્ગની લંબાઈ ખરેખર હાઈવે ઓથોરિટી લાગે છે કે પછી માર્ગ મકાન વિભાગને તે નક્કી કરી ઘણા વર્ષથી ખો આપવાની નીતિરીતિ બંધ થાય અને સમયાંતરે મરામત સાથે માર્ગની જાળવણી થાય તે જરૂરી છે.

Related posts

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહઃ જીએનએલયુના સેલવાસ કેમ્‍પસમાં કાયદા અને અર્થશાષાના પાયાના સિદ્ધાંતો પરના પ્રમાણપત્ર અભ્‍યાસક્રમનું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment