September 1, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

વતી કાલે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો 73મો જન્‍મ દિવસ છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો સંબંધ અને સંપર્ક ખુબ જૂનો છે. તેઓ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી બનવા પહેલાં સંઘના કાર્યકર તરીકે અનેક વખત દાદરા નગર હવેલીના દરેક પાડે(ફળિયે) અને વિસ્‍તારે આવી ચુકેલા છે. તેઓ દમણ અને દીવની આબોહવાથી પણ પરિચિત રહ્યા છે. લોકસભાની 2009ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો ઉપર ભાજપને વિજય અપાવવામાં પણ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા રહી હતી.
મુખ્‍યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્‍પર્શતા અનેક મુદ્દાઓમાં ખુબ જ સંવેદનશીલ અભિગમ અપનાવ્‍યો હતો અને આટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશના લોકોને અન્‍યાય નહીં થાય તે માટે અંગત કાળજી પણ લીધી હતી. જેમાં 2011ના વર્ષમાં દાદરા નગર હવેલી ખાતે સરકારી કોલેજની સ્‍થાપના માટે વિકટ બનેલા એફીલિએશનના પ્રશ્ન દરમિયાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાત યુનિવર્સિટી જોડે દાદરા નગર હવેલીની કોલેજનું સફળ જોડાણ કરાવ્‍યું હતું. આ કોલેજના પ્રારંભથી દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસીઓ આજે અભ્‍યાસ કરીને સારા અને મોભાદાર પદ ઉપર પણ બિરાજમાન થયા છે. જેનો સંપૂર્ણ શ્રેય શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે.
પ્રધાનમંત્રી બન્‍યા બાદ છેલ્લા 9 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી સકલ અને સૂરત દરેકની સામે છે. શિક્ષણ, આરોગ્‍ય, માળખાગત સુવિધા, સામાજિક સુરક્ષાથી લઈ લોકોની વિચારશક્‍તિમાં પરિવર્તન લાવવાનું પણ અભૂતપૂર્વ કાર્ય થયું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દાદરા નગર હવેલી અને દમણ-દીવની વાસ્‍તવિક સ્‍થિતિથી પરિચિત હોવાના કારણે તેમણે અમલદારશાહીના જોડાયેલા નેટવર્કને નાથવા માટે રાજનીતિજ્ઞ એવા પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની નિયુક્‍તિ કરી એક કાંકરે અનેક અનિષ્‍ટોનો સંહાર કર્યો છે. કારણ કે, પહેલાં મોટાભાગે ઉચ્‍ચ અધિકારીઓ સાથે ચૂંટાયેલા મોટાભાગના લોક પ્રતિનિધિઓ, લેન્‍ડ અનેલીકરમાફિયાઓ તથા એજન્‍ટોની જુગલબંધી રહેતી હતી. આ નેટવર્કને નાથવાનું કામ ખુબ જ મુશ્‍કેલ હતું. પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અપનાવેલા તટસ્‍થ પ્રમાણિક અને કાર્યક્ષમ અભિગમના કારણે તેઓ પોતાના મિશનમાં સફળ રહેતાં આજે બદલાયેલા વર્ક કલ્‍ચર અને બદલાયેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના દર્શન થાય છે.
વિશ્વ વંદનીય એવા પરમ આદરણીય યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે પરમ કૃપાળુ પરમેશ્વર તેમને દીર્ઘાયુ અને તંદુરસ્‍તી બક્ષી નવા ભારતના નિર્માણ માટે બળ પ્રદાન કરે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનો એક એક વ્‍યક્‍તિ ડગથી ડગ માંડી વિકસિત ભારત માટે આગળ વધે એવી ‘વર્તમાન પ્રવાહ’ પરિવાર દિલથી દુઆ માંગે છે.

Related posts

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

vartmanpravah

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

vartmanpravah

સેલવાસમાં વિકાસના નામે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનો લેવાઈ રહ્યો છે ભોગ

vartmanpravah

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah

Leave a Comment