Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે દાનહના શબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા મકર જ્‍યોતિ ઉત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દાનહ સબરીમાલા અયપ્‍પા સેવા સમાજ દ્વારા 14મી જાન્‍યુઆરીના રોજ અયપ્‍પા ભક્‍તો પોતપોતાના ઘરોમા સાંજે 6: 30 વાગ્‍યાથી દીપ પ્રાગટય કરી7:15 સુધી પ્રજ્‍વલિત રાખશે અને ભક્‍તિગીત ગાય, કપૂર આરતી દ્વારા સમાપન કરાશે.
રાષ્‍ટ્રીય મહાસચિવ ઇરોડ રાજને જણાવ્‍યું હતું કે કોવીડ મહામારીની સ્‍થિતિ દરમ્‍યાન ચાલુ વર્ષે પણ સબરીમાલામાં પ્રવેશ પ્રતિબંધિત છે અને મકર જ્‍યોતિના દર્શન એક લાખ ભક્‍તો સુધી જ સિમિત રહેશે. જેથી એસએએસએસ દ્વારા માકરજ્‍યોતિનું આયોજન કરવાનો નિર્ણય લેવામા આવ્‍યો છે એ સિવાય એસએએસએસ દ્વારા સ્‍વચ્‍છ સબરીમાલા એરૂમેલી કાર્યક્રમનું ઉદ્‌ઘાટન 19મી જાન્‍યુઆરીના રોજ કરવામા આવશે. જેમા વિવિધ રાજ્‍યોના અઢી હજાર અયપ્‍પા સેવકો દ્વારા મંદિરની આજુબાજુના વિસ્‍તારોની સફાઈ કરી સબરીમાલા જશે.પમ્‍પાથી સન્નીધાનમ સુધી ટ્રેકિંગ કરતા સમયે નીલિમાલા અને સ્‍વામી અય્‍યપ્‍પન રોડની પણ સફાઈ કરવામા આવશે.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

Leave a Comment